________________
341
- ૨૭: સંઘ મેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 - ૩૪૧
આત્મા નચિંતપણે શી રીતે રહી શકે ? છતાં પણ જો કોઈ આ રીતે વર્તે, તો એ નિર્લજ્જ, નચિંત અને બેફામ છે કે નહિ ? ખરે જ, એને પોતાની મિલ્કતની ફૂટી કોડીની પણ કિંમત નથી. આ બધું સાંભળતાં ન સમજાય અને ઊંધુ પરિણમે તેમ હોય તો અહીં જ બોલજો હોં ! કેમ ગુસ્સો આવે છે ?
સભાઃ ગુસ્સો શાનો આવે ?
ન જ આવવો જોઈએ, કારણ કે, આ બધું કહેવાનો આશય એક જ છે અને તે એ કે શ્રી મેરૂસમા શ્રીસંઘમાં જે સ્થાને તમે હોવા જોઈએ તે સ્થાનમાં તમને સ્થિર કરવા છે.
જ અમો કોના? અમારું કર્તવ્ય શું?
તમારો નથી, પણ ભગવાન શ્રી મહાવીર મહારાજાનો છું. ભગવાન શ્રી મહાવીરદેવે બતાવેલી વસ્તુ પર આક્રમણ આવે, એની બધી પંગ્રાત મહારાજને હોય જ ! ભગવાન શ્રી મહાવીરદેવનો સાધુ એટલે ભિખારી નથી, પછી સારામાં સાચો માલદાર છે. ભગવાને સાધુઓને મોટી મિલ્કત આપીને પ્રતિનિધિ બનાવ્યા છે. મહારાજ કાંઈ ભિખારી નથી ! આગળ ઉલાળ નહિ અને પાછળ ઘરાળ નહિ, એવું અહીં નથી; અને ન જ હોવું જોઈએ.