________________
૩૩૩ – ૨૭ઃ સંઘ મેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 - ૩૩૩ ધન્ય બની જાય; ગર્ભમાં આવતાં જ ઋદ્ધિ આદિની વૃદ્ધિ થાય; ગર્ભમાં આવે કે, ઇંદ્રો અને દેવતાઓ દોડધામ કરે; ઇન્દ્રસભામાં ઇંદ્ર કહે કે, “રૂદ સ્થિતોડદંતત્ર સ્થિત ભવન્ત વત્તે’ ‘અહીં રહેલો હું ત્યાં રહેલા ભગવાનને વંદન કરું છું.' આવી સાહ્યબી છે કોઈની પાસે ? દુનિયાની સાહ્યબી પણ કોને ? સભાઃ જેને ત્યાં પ્રભુ જન્મે તે ભલે સાર્વભૌમ રાજા ન હોય પણ નાના
સમુદાયના જ રાજા હોય, છતાંય એની સત્તા તો સાર્વભૌમથીયે વધી
જાય. સભાઃ એમના પિતા પર બીજાની આજ્ઞા તો ખરી ને !
પહેલાં ભલે હોય. પછી ઘટતી જાય; એને આજ્ઞા કરવાની કોઈની ભાવના જ ન થાય. જ્યાં આવીને દેવો અને ઇંદ્રો નમે, ત્યાં આજ્ઞા કરવાનું મન કોઈને પણ થાય ? ઇંદ્રોને પણ એમ થાય કે, “અમે દેવલોકમાં ક્યાં આવ્યા ? તે ધન્ય છે કે જેઓ મૃત્યુલોકમાં રહે છે અને ત્યાં રહી ભગવાનને વારંવાર જોઈ પાવન થાય છે.” આ પ્રભુની સ્થિતિ છે.
દુનિયાના રાજા મહારાજાને ત્યાં દીકરો જન્મે તો ગામમાં ઓચ્છવ થાય . અને આ પ્રભુ જન્મે ત્યારે તો દેવલોકમાં પણ મહોત્સવ થાય. દેવો અને ઇંદ્રો પણ આનંદમગ્ન થાય. દુનિયાના બાળકને રમવા છોકરાં જોઈએ અને આમની પાસે તો દેવો પણ કુમારનાં રૂપો લઈ રમવા આવે.
સભા આ બધી વાતોને કલ્પના કહે એનું શું? છે જેને આત્મસ્વરૂપનો જ ખ્યાલ ન હોય એને બધી વાત કલ્પના રૂપ જ લાગે. અમને કોઈ કહે કે, “પગે ચાલતાં શું સુખ ? મોટરમાં મજા છે.” તો અમે કહીએ કે, “એ પગે ચાલવાનું સુખ તો પગે ચાલનાર જ જાણે; તારે તો કલ્પના કરવાની રહી, તું તો એને કલ્પિત જ કહેવાનો. જેને આત્માની ઋદ્ધિસિદ્ધિ પર કાંઈ પણ ભરોસો નથી એને બધું કલ્પિત જ લાગે. - પૌગલિક પદાર્થો આટલી શાંતિ આપે તો આત્માના ગુણો કેટલી શાંતિ આપે ? આત્માના ગુણોથી જે શાંતિ અને સુ એ કુદરતી છે અને પેલું તો કૃત્રિમ છે, કૃત્રિમ સુખમાં મુંઝાનારી દુનિયા સુખી નથી, એટલું જ નહિ પણ ઊલટી પરિણામે પણ દુ:ખી જ છે અને ઉદાસીન ભાવે રહી જો દુનિયાની સાહ્યબી કોઈ પણ ભોગવી હોય તો તે, શ્રી તીર્થંકરદેવાએ ભોગવી છે. તેમજ શ્રી તીર્થકરદેવનું શાસન જન અસ્થિ મજ્જા થઇ ગયું છે તેઓએ,