SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ તથા પ્રથમ ગુણસ્થાનકની અનાસક્ત દશા જેઓ પામ્યા છે તેઓએ જ ભોગવી છે, બીજા કોઈએ ભોગવી નથી. ઇંદ્રો પણ પ્રભુને સેવે; એમના શરીરની પણ ઇંદ્રા ચિંતા કરે છે. પ્રભુને માતાના સ્તનની ગરજ ન પડે માટે અંગૂઠામાં અમૃત મૂકી જાય. દૂધ માટે પ્રભુને માતાની ગરજ નહિ; રોવું પડે નહિ; માતાની રાહ જોવી પડે નહિ; છે ગ૨જ ? સ્વાધીન એ કે તમે ? તમે તો જન્મો ત્યારથી જ પરાધીન; તમારા બાળકને રમવા માટે ૨મકડાં માગવાં પડે અને પ્રભુને રમકડાં. એમનાં મા-બાપ તો બાંધે ત્યારે ખરાં, પણ એ પહેલાં તો ઇંદ્રો રમકડાં બાંધીને જાય. તમને આ બધું કેમ નહિ ? વિષયના કીડા બન્યા માટે ! દુનિયાની સાહ્યબીમાં રાચ્યામાચ્યા માટે !! ૩૩૪ 334 દુનિયાની સાહ્યબી પ્રત્યે જેને મોહ છે તે દુનિયામાં સુખી નથી, છતાં જો સુખ દેખાતું હોય તો એ સુખ ખોટું છે. પુણ્યયોગે સાહ્યબી મળે, પણ એમાં સુખ નથી. આ વાત તમને જચવી કઠણ છે. આત્મઋદ્ધિ તો શ્રી જિનેશ્વરદેવે ઘણી ભોગવી, પણ દુનિયાની સાહ્યબી પણ એમની પાર’વિનાની ! દેવો અને ઇંદ્રો એમની સેવા માટે દોડાદોડ કરે; વગર બોલાવ્યે આવે, એમના નોકર થઈને રહે, ક્ષણે ક્ષણે પ્રભુની અનુકૂળતા ઇચ્છે, તપાસે, જુવે અને એ મુજબ વર્તે ! પ્રભુ જન્મે ત્યારે પણ ઇંદ્રનાં સિંહાસન કંપે; દેવલોકની ઘંટાઓ વગર વગડાયે વાગે; ઇંદ્રો અભિષેક કરવા આવે. દેવતાઓ આવીને પ્રભુને રમાડે. પોતાના ખભા પર ચઢાવી, ઇરાદાપૂર્વક ત્યાં બેસાડી આનંદ પામે, મોટા થયા પછી સંસારમાં રહે તેમાં મા-બાપ પણ સમજે છે કે, ‘એ ભોગ કર્મોને ભોગવવા માટે રહેલ છે, પણ રહેવું નથી’ એવી તો એમની ખ્યાતિ છે. એમને ન પસીનો કે ન રોગ. એ રીતે ધર્મી બન્યા તો ઋદ્ધિસિદ્ધિ પાછળ આવી. ધર્મી બને એને સાહ્યબી શોધ્યા કરે. ધર્મ ગયો પછી કદી પૂર્વના પુણ્યયોગે સાહ્યબી ટકી તો પણ સુખ નથી. જડનાં તો સુખ પણ પારકાં. જેટલી ઇચ્છાઓ વધારે તેટલું દુઃખ વધારે આ બધી વાત સમ્યગ્દર્શન ઉપર ચાલે છે, કારણ કે, શ્રી સંઘરૂપ મેરૂપર્વતની એ પીઠ છે. શ્રીસંઘ એ મેરૂની જેમ શાશ્વત છે, તો એની પીઠ પણ એવી મજબૂત જ જોઈએ. એ પીઠ ૫૨ દુનિયાના ગમે તેવા ઘા થાય, તો પણ કાંકરી સરખી ન ખરે. શ્રી જિનેશ્વરદેવ તો મોક્ષમાં ગયા, પણ આજે એમના નામે લાખો અને કરોડોનાં દાન થાય છે. છોકરાનો વરઘોડો તો મા-બાપ કાઢે અને આ તારકોનો વરઘોડો તો ઘણા કાઢે અને તે પણ નિર્મળ ભાવે કાઢે. શ્રી જિનેશ્વરદેવ જે પૂજાય
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy