________________
૩૩૨
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
એ માને છે કે, ધર્મ સારી રીતે કરીએ તો જ ઇષ્ટ સુખ મળે અને એ મેળવવાનું એનું ધ્યેય છે, એટલે એ બહુ સાવધ રહે છે. આત્મા માટે ક્રિયા કરનારને લોકની પરવા નથી હોતી, એટલે એને તો પાંચ (માણસ) આવે તો પણ ઠીક અને પાંચ જાય તો પણ ઠીક, એને કશી પડી ન હોય; એને કોઈ ગાળો દે તો પોતે કર્મક્ષય માને અને એની કોઈ પ્રશંસા કરે તો પોતે આઘો રહે, સાવધ રહે !
332
ખોખા માટે ક્રિયા કરનારને કોઈ ગાળો દે તો એને થાય કે, ‘મને ગાળો દે ? કોણ છે ?’ અને એની કોઈ પ્રશંસા કરે તો હ૨ખાય તથા જે કારણથી એ' પ્રશંસા થઈ હોય એની બારીકીથી તપાસ કરી એ ક્રિયા ચાલુ રાખે. પાંચ રૂપિયા પણ આત્મશુદ્ધિ માટે દેવાય, તો આખા જીવનનો પલટો થઈ જાય; પણ ‘પાંચ દીધા' કહેવરાવવા દેવાય એટલે સ્થિતિ ફરી જાય, પણ મોટે ભાગે દશા આ છે. ‘આપ્યા' નથી, છતાં પણ ‘મેં આપ્યા એ કહેવરાવવાની અને એવું સાંભળવાની ભાવના મોટે ભાગે છે. પાંચની ઉપાધિ ઓછી એ ભાવના નથી; પણ પાંચ આપી પાંચ હજાર મેળવવાની પાછી ભાવના છે. મૂર્છાથી છૂટવાની ઉદારતા આવશે ત્યારે જૈનપણું જુદું હશે; એ વખતે તો લક્ષ્મી જોરથી આવશે અને એ લક્ષ્મીથી છૂટવાની ભાવના પણ જોર પકડતી જશે.
શ્રી જિનેશ્વરની ઋદ્ધિ-સિદ્ધિનો પાર હોય છે ? પાર વિનાની એ ઋદ્ધિસિદ્ધિ હોય છે; દુનિયામાં એવો કોઈ જીવ નથી કે-જેણે શ્રી તીર્થંકરદેવ જેટલી સાહ્યબી ભોગવી હોય કે ભોગવે; દુનિયાની બધા જીવો ભોગવે એના કરતાં કેટલાય ગણી સાહ્યબી શ્રી તીર્થંકરદેવે ભોગવી છે; સંસારની સાહ્યબી, દુનિયાની સાહ્યબી (આત્માની સાહ્યબી તો છે જ, એ અનંત સાહ્યબી તો ખરી જ, પણ આ તો દુનિયાની સાહ્યબી) પણ સારામાં સારી, માગ્યા વિના, કશી પણ મહેનત વિના, ઇચ્છા વિના એમની પાસે ઢે૨ના ઢેર આવીને ખડકાય અને એમણે ભોગવી.
સભા કેવળજ્ઞાન પહેલાં પણ ?
હા ! કેવળજ્ઞાન પહેલાંની વાત કરું છું. કેવળજ્ઞાન થયા પછી તો સમવસરણ, સુવર્ણકમળ, એ બધું અનુપમ છે, પણ પહેલાંની વાત કરું છું. શ્રી તીર્થંકરદેવના ભવમાં તો કમાલ હોય છે. ગર્ભથી જ્યારે પ્રસવ થાય ત્યારે દરેકને દુઃખ થાય, પણ ભગવાનને તો જરા પણ દુઃખ ન થાય, માતાને પણ - પ્રસૂતિનું જરા પણ દુઃખ ન થાય, ભગવાનનો ગર્ભ ભારરૂપ ન હોય; ભગવાનના ગર્ભથી માતાને ઉદરવૃદ્ધિ પણ ન થાય; ગર્ભ ગુપ્ત રહે; માતાને આળસ વગેરે વિકાર થાય જ નહિ; પ્રસન્નતા જ રહે; જે કુળમાં આવે તે કુળ