________________
331 – ૨૭ઃ સંઘ મેરૂ જેવો દઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 – ૩૩૧
ધનાજી લક્ષ્મી મૂકીને જ્યાં જતા ત્યાં લક્ષ્મી પેદા થતી અને લક્ષ્મીનાં પોટલાં ઉપાડનારાને તો મહાપંચાત ! પોટલું ઉપાડવું પડે, લૂંટારા મળે તો પપ્પા ખાવા પડે, માલ આપવો પડે અને લોક ગાંડા કહે, એ જુદું, આ સ્થિતિ છે.
શ્રી વસ્તુપાળે એકવાર અનુપમા દેવીને પૂછ્યું હતું કે, “લક્ષ્મી ખૂબ થઈ છે એનું હવે શું કરવું ?” ઉત્તરમાં – સાધન જેટલી લક્ષ્મી રાખી, બાકીની તમામ તીર્થસ્થળે લઈ જઈ વાપરવાની અનુપમા દેવીએ સૂચના કરી હતી. આ સૂચનાથી રાખવા જેટલી લક્ષ્મી લઈને વૃક્ષ નીચે દાટવા ગયા ત્યાં જમીનમાંથી નવું નિધાન નીકળ્યું. શ્રી વસ્તુપાલે આવી એ વાત અનુપમા દેવીને કરી, ત્યારે અનુપમા દેવીએ કહ્યું કે, પુણ્ય જાગતું છે, માટે હવે એ બધું ધન સાથે લઈ લ્યો અને તીર્થસ્થળે વાપરી જીવનના લહાવા લો – આ કસોટી છે.
આજે તો જમીન ખોદા અને નિધાન હોય તો પણ કોલસા થઈ જાય. આવું ભાગ્ય ! બુદ્ધિ કઈ ? પૈસા માટે ગમે તે પાપ કરતાં વાંધો જ નહિ, આવી બુદ્ધિવાળાનું ભાગ્ય કર્યું હોય ? કમભાગ્ય એવું કે, પાપમાં જ મનુષ્યજીવન એળે ગુમાવે. પુણ્યયોગે આર્યદેશ, ઉત્તમ જાતિ અને ઉત્તમ કુળ વગેરે મળ્યાં, છતાં પણ હિંસા, ચોરી, જૂઠ કરતાં કંપે નહિ અને ઉપરથી પૂછે કે, “જૈનથી અમુક પાપ થાય કે નહિ ?' -આ કેવો ભયંકર પ્રશ્ન છે ? શું શાહુકાર રહેવા ઇચ્છનાર એમ પૂછે ખરો કે, “કોઈના પૈસા લાવીને પાછા ન આપું તો ચાલે નહિ ? જો ન ચાલે, તો પાપ કરવાની જૈનદર્શનમાં છૂટ ખરી કે નહિ, એમ કેમ જ પુછાય ?
સાજા થવાની ઇચ્છાવાળો કુપથ્ય ખવાય કે નહિ ?” “પથારીમાંથી ઊઠવું છે . પણ પીવાની દવા ઢોળાય કે નહિ” આવા પ્રશ્નો પૂછી શકે ખરો ? નહિ જ, તો
પછી પોતાની જાતને જૈન મનાવનારથી એવો પ્રશ્ન કેમ પુછાય ? પુણ્યાનુબંધી પુણ્યનો પ્રભાવ : • ' . સભા: આટલું અને આવું વાંચનાર-લખનાર આવા પ્રશ્ન પૂછે ?
એમાં નવાઈ નથી. ક્રિયા બે રીતે થાય છે, આત્મશુદ્ધિ માટે તથા નામના માટે. .
સભાઃ એવું ઉપરથી દેખાતું નથી.
ન દેખાય ! નામના માટે ક્રિયા કરનાર બહુ સાવધ રહે. કેવળ આત્મશુદ્ધિ માટે ક્રિયા કરનારમાં પ્રપંચ ન હોય અને નામના માટે કરનાર પ્રાયઃ પ્રપંચનિપુણ હોય. ભવ્યના દોષ ઝટ ઓળખાય, ત્યારે અભવ્યના દોષ પારખવા કઠિન છે; કેમ કે, ત્યાં લોકપૂજા વગેરે સુખની પ્રાપ્તિનું ધ્યેય હોય છે.