SearchBrowseAboutContactDonate
Page Preview
Page 351
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૦ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ 330 સમ્યગદર્શનવાળો આત્મા તે કહેવાય કે, જે પુણ્ય અને પાપના આશ્રવમાં તથા બંધમાં ન મૂંઝાય. જે મૂંઝાય તે ચેતન ચેતન મટી જડ જેવો બની જાય છે. વસ્તુ સ્વરૂપનો જાણકાર આત્મા શુભના ઉદયમાં કે અશુભના ઉદયમાં, બેમાંથી એકમાં પણ ન મૂંઝાય. પુણ્યનો ઉદય વધુ મૂંઝવનારો છે? | સામાન્ય રીતે આ બેના ઉદયમાંથી કોણ મૂંઝવે ? પુણ્યનો ઉદય કે પાપનો. ઉદય ? પાપના ઉદયથી તો છૂટવાની ભાવના રહે છે, પણ પુણ્યના ઉદયથી છૂટવાની નહિ પણ વળગવાની ભાવના રહે છે. આથી સમજી શકાય તેમ છે કે, પુણ્યનો ઉદય વધુ મૂંઝવનારો છે અને એ જ કારણ પુણ્યના ઉદયથી . સમ્યગુદૃષ્ટિ ડરે પણ પાપના ઉદયથી ન ડરે. અહીં એવી ભૂલ ન ખાતા કે, સમ્યગુદૃષ્ટિ પાપથી ન ડરે, કારણ કે, અહીં પાપથી નહિ ડરવાની વાત નથી, પણ પાપના ઉદયથી નહિ ડરવાની વાત છે. . શુભ તથા અશુભ કર્મના સદ્ભાવમાં આત્માની મુક્તિ નથી એ વાત તો નિશ્ચિત જ છે એટલે બેયથી છૂટવાની જરૂર છે. પુણ્યયોગે ઉત્તમ દેહ, ઉત્તમ તાકાત વગેરે મળે; મન, વચન, કાયાનું એવું બળ મળે કે જેથી કર્મોને વિખેરી શકાય; માટે તો પુણ્યાનુબંધી પુણ્યને શાસ્ત્રમાં ઉપાદેય કહ્યું છે. શ્રી જિનેશ્વરદેવનો ધર્મ એવો છે કે, જે એનો શ્રદ્ધાળુ બને, હૃદયથી જે એને ઇચ્છે અને સેવે, એની પાછળ દુનિયાની લક્ષ્મી તો ભટકતી ફરે; જે રીતે લક્ષ્મીની પાછળ દુનિયા ભટકી રહી છે, એ રીતે સાચા ધર્મીને ભટકવું ન પડે. ધર્મધન ખોવાઈ ગયું માટે જ તુચ્છ ધન માટે ભટકવું પડે છે. ધર્મ આવ્યો તો બધું જ આવ્યું એમ સમજો. પુણ્યવાનનું કપાળ એવું હોય કે, મારવા આવેલો પણ થંભી જાય; જ્યાં જવાની સંભાવના હોય ત્યાંથી પણ એને ધનની આવક થાય; જેનાથી બધા ભીખ માંગે તેનાથી એ શ્રીમંત થાય; તે પુણ્યયોગે બેઠોબેઠો સાહ્યબી ભોગવે, જ્યારે બીજાને મજૂરી કરતાંયે ન મળે; ધર્મીને લક્ષ્મી શોધવા ન જવી પડે, લક્ષ્મી એને શોધતી આવે; પણ ક્યારે? લક્ષ્મીને ઇચ્છડ્યા વિના ધર્મ સેવે તો ! લક્ષમીને ઠોકરે મારે તો !! લક્ષ્મીથી મુક્તિ નથી એમ માને તો !! હાય લક્ષ્મી ! હાય લક્ષ્મી. એમ કરવાથી લક્ષ્મી ન આવે. લક્ષ્મી તો જાય તોયે મારતી જાય અને આવે તોયે માર્યા વગર ન રહે; જાય એટલે ઊંચું જોવા ન દે અને આવે તો નીચું જોવા ન દે; એટલે કે, અક્કડ બનાવે. પરંતુ પુણ્યવાનને તો બેય રીતે આનંદ આપે. '
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy