SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ 329 — ૨૭ : સંઘ મેરૂ જેવો દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ હોય- 27 — ૩૨૯ શુભ પુદ્ગલો આવે તે શુભાશ્રવ અને અશુભ પરિણામથી અને અશુભ કર્મના ઉદયથી અશુભ પુદ્ગલો આવે તે અશુભાશ્રવ શુભ અથવા શુદ્ધ પરિણામથી અજીવ સ્વરૂપ કાર્યણવર્ગણામાંથી અશુભ કર્મો આવતાં રોકાય તે સંવર અને આત્માના મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને યોગરૂપ હેતુઓથી અજીવ સ્વરૂપ કાર્મણ વર્ગણામાંથી કર્મસ્વરૂપે પરિમાણ પામેલાં પુદ્ગલો આત્માએ પ્રથમ બાંધેલાં કર્મો સાથે એકમેક થાય એ બંધ અને આત્માના શુભ અને શુદ્ધ પરિણામથી આત્મા સાથે રહેલાં કર્મપુદ્ગલો આત્માથી છૂટાં પડી જાય અને તેને કર્મ પોતાનો કાળ પરિપૂર્ણ થયે ઉદયરૂપે આવી આત્માથી છૂટાં પડી જાય તે નિર્જરા તથા આત્મા ઉપરથી સઘળાંય કર્મો નાશ પામી જાય તે મોક્ષ. નવે તત્ત્વનો સામાન્ય રીતે આ અર્થ છે. આથી એ સુનિશ્ચિત છે કે, જીવ તથા અજીવ તત્ત્વના જાણકા૨ને એ નિશ્ચય થવો જ જોઈએ કે, જીવ તથા અજીવ એ બે જુદાં જ તત્ત્વો છે; બેયનું સ્વરૂપ એક એકથી સર્વથા ભિન્ન છે. પુણ્ય તથા પાપ, એ કર્મના સ્કંધો છે અને એથી એ અજીવ છે; એની અસર આત્મા પર થાય છે; કેમ કે, આત્મા એની સાથે સંલગ્ન (જોડાયેલો) છે. શુભ કે અશુભનો ઉદય, એ તો પુદ્ગલની નાસભાગ છે. એની અસર આત્મા પર થાય છે, કેમ કે, આત્મા એની સાથે જોડાયેલો છે. આત્મા ઉપર શુભ દ્રવ્યના સંયોગની શુભ અસર થાય અને અશુભ દ્રવ્યના સંયોગની અશુભ અસર થાય. જ્યારે એ સંયોગ દૂર થાય ત્યારે એના સ્વભાવ મુજબ શુભ કે અશુભ ફળ આપતો જાય અને એ શુભ કે અશુભ ફળ ભોગવવાં પડે. એકલો ચેતન સ્વ-સ્વરૂપમાં લીન થાય અને એકલો જડ જગતમાં આથડે; ચેતન અને જડમાં ભેદબુદ્ધિ થાય કે તરત કાર્યવાહીમાં પણ ફેરફાર થાય. જીવ અને અજીવ તત્ત્વને જાણવાં શા માટે ? એ બેને જાણવાનો એ જ હેતુ છે કે, મારો આત્મા ચેતન છે અને એને વળગેલ કર્મ અચેતન છે. એ અચેતનની અનંતકાળથી સેવા કરવાથી આત્મા પરવશ બન્યો છે; એવો પરવશ બન્યો છે કે, જડના આધારે જીવે છે. જીવન, એ આત્માનો સ્વભાવિક ગુણ છે; તે જડના યોગે એ ગુણનો એણે નાશ કર્યો; બસ, મરણ, મરણ ને મરણ. મરણ જ આત્માની પાછળ પડ્યું છે. એ અજીવના સંયોગથી બચવા માટે જીવ તથા અજીવના સ્વરૂપને સમજી, અજીવના તથાપ્રકારના સંયોગથી અલગ થવાના જ પ્રયત્નો કરવા જોઈએ. પરંતુ તે પોતાનું તથા પરનું સ્વરૂપ સમજ્યા વિના બને તેમ નથી; માટે નવતત્ત્વના અર્થની શ્રદ્ધાને સમ્યગ્દર્શન કહ્યું છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy