________________
૩૨૨
– સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 322, જવાય” એ વાતની મને ખબર છે, છતાં કોઈ ગૃહસ્થ આવે તો, “આરંભ પરિગ્રહમાં વાંધો નહિ” એમ હું કહું કે એની સામે થઈ આરંભ અને પરિગ્રહના પાપથી તે બચે એવી વાતો કરું ? શેઠ મોટરમાં આવ્યા એટલે-શેઠ મોટરવાળા છે, એવા તો જોઈએ, એમ મારે કહેવું એ વાજબી છે કે, ‘તમારા પૂર્વના પુણ્યથી આ મોટર મળી છે, પણ જો એમાં મૂંઝાયા તો માર્યા જશો.” આમ કહેવું એ વાજબી છે ? એમ કહેવામાં આવે તો શેઠ પણ ચોકે ! આથી સ્પષ્ટ છે કે, પેલા ઉલ્લુદાસે હાજીહા કરી, એવી રીતે જે જે હાજીહા કરનારા છે, તે બધા જ ઉલ્લુદાસના ભાઈઓ છે.
હવે આ જમાનામાં જૂઠું બોલ્યા વિના ચાલે તેમ નથી, પૂજાબૂજા કરવી પાલવે તેમ નથી, સામાયિકની નવરાશ નથી, આરંભ વિના ચાલે તેવું નથી' - આ બધું કહેનારાઓને – “કાંઈ નહિ ત્યારે, એનાથી ક્યાં મુક્તિ અટકી જવાની છે ? એ તો બધું જ ચાલે !' – આવું કહેનારા ઉલ્લુદાસો ન કહેવાય તો બીજું શું કહેવાય ? આવી રીતની હાજીહા કરનારા તો ખરેખર આત્મહિતના ઘાતકો છે.* ઉન્માર્ગના ઉમૂલનને નહિ સાંભળી શકનારો એક આદમી કહે છે કે, મંદિર તથા ઉપાશ્રયમાં કજિયા થાય છે, માટે હું તો ત્યાં જતો જ નથી.” - આની સામે ‘તો, ઠીક ત્યારે !” એમ કહેવાય ? સાચાથી તો કદી જ ન કહેવાય.
એક ભાઈ એક પરમ ગીતાર્થ મહાત્મા પાસે ગયા હતા. તેને તે મહાત્માએ પૂછયું કે, “તમારા ગામમાં સાધુ કોણ છે ?' આણે જવાબ આપ્યો કે, “આપણે તો દહેરે કે ઉપાશ્રયે જવાનું જ માંડી વાળ્યું છે, કારણ કે, ત્યાં તો બધે માત્ર કજિયા જ હોય છે.” આવો ઉલ્લેઠ, ઉદ્ધત અને અસત્ય ઉત્તર સાંભળી મહાત્મા કાંઈ બોલ્યા વિના રહે ? નહિ જ. એ મહાત્માએ સંભળાવી દીધું કે, “શાંતિ તો તમારા ઘરબારમાં જ મળતી હશે એમ ? તો પછી શું મારી પાસે શા માટે આવ્યો ?' કારણ કે, ઉપકારી મહર્ષિઓથી વાતે વાતે હા ન જ પડાય.
+ જુનના:- xxx તથા ૨ શ્રતવેવતિનો વન
"जह सरणमुवगयाणं, जीवाण सीरो निकिंतए जो उ । एवं आयरिओ वि हु, उस्सुत्तं पण्णवेंतो य ।।१।। न केवलमविधिप्ररूपेण दोषः किन्तु विधिप्ररूपणाभोगेऽपि विधिनिषेधाऽसम्भवात् तदाशंसानामनुमोदनापत्तेः फलतस्तत्प्रवर्तकत्वाद् दोष एव, तस्मात् "स्वयमेतेऽविधिप्रवृत्ता नात्रास्माकं दोषो वयं हि क्रियामेवोपदिशामो न त्वविधिम् एतावन्मात्रमपुष्टालम्बनमवलम्ब्य नोदासितव्यं परहितनिरनेत धर्माचार्येण, किन्तु सर्वोद्यमेनाविधिनिषेधेन विधावेव श्रोतार: પ્રવર્તનીયા, પૂર્વ દિ તે માને પ્રવેશિતા , અન્યથા તૂન્ય પ્રવેશે નશિતા: x પારો
- યોગવિશિંકા ટીકા,શ્લોક ૧૫