SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ 317 — ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મૂલન - 26 ૩૧૭ ભજવાનો અને એટલા માટે જ ‘શ્રી અરિહંત તે જ દેવ, શ્રી અરિહંતદેવની આજ્ઞા મુજબ ચાલનાર નિગ્રંથ તે જ ગુરુ અને શ્રી વીતરાગદેવોએ પ્રરૂપેલો મોક્ષમાર્ગ તે જ ધર્મ અને એ તત્ત્વત્રયી જ શરણ. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્ર, એ જ એક મોક્ષમાર્ગ !' આ જે માન્યતા તે જ સમ્યગ્દર્શન. આવી જે માન્યતા એ લુખ્ખી ન હોય ! તે શુદ્ધ માન્યતાને ટકાવનારી ઉત્તમ ક્રિયાઓ તો હોય જ !! નહિ તો શુદ્ધ માન્યતા ચિરસમય ટકે પણ શી રીતે ? ‘શ્રી અરિહંત એ જ દેવ છે, મોક્ષપ્રદાયક એ એક જ દેવ છે' એવો નિર્ણય થયા પછી કુદેવને દાંડી પીટીને પણ જગતની સમક્ષ કુદેવ તરીકે જાહેર કરવા, એ પણ શ્રી સમ્યગ્દર્શનની સેવાનો જ એક પ્રકાર છે. આ તમારે ગોખવું પડશે ! ‘નિગ્રંથ એ જ ગુરુ કે, જે શ્રી જિનેશ્વરદેવની જ આજ્ઞામાં રહે, આજ્ઞામાં જ વર્તે અને બીજાને પણ એમ કરવાનો જ ઉપદેશ આપે.' આ નિર્ણય થાય પછી પ્રભુપ્રણીત મહાવ્રતો તથા પ્રભુની આજ્ઞાને આઘી મૂકનારને પણ (કોઈ બેય આઘાં મૂકે, કોઈ વ્રત આઘાં મૂકે અને કોઈ આજ્ઞા આઘી મૂકે) જરૂર પડ્યે તે સ્વરૂપે જનતા સામે ઉઘાડાં કરવાં, એ સમ્યગ્દર્શનની સેવાનો એક પ્રકાર છે. સભા ઃ પેલાનો જીવ દુઃખાય.તો, છ કાયની રક્ષા રહે ? શાસ્ત્ર કહે છે કે, સુગુરુનું સ્વરૂપ બતાવી લોકોને કુગુરુના ફંદામાંથી બચાવવા એ જ ખરી છ કાયની રક્ષા છે. દુનિયાના જીવો જેમ કુગુરુના ફંદામાં વધુ ફસાય, તેમ છ કાયનો નાશ વધારે છે; માટે એ અટકાવવામાં જ છ કાયની રક્ષા છે. દીકરાના ભલા માટે ખોળામાં સુવાડી અગર પથારીમાં સુવાડી અને બાંધીને પણ, રોવરાવીને પણ, મોંમાં લાકડું નાખીને પણ, મા કડવી દવા પાય કે ન પાય ? કોઈ કહે કે, ‘વાતો તો દીકરાને રાજી રાખવાની કરે છે અને આવો • 'જુલમ કેમ થાય ?’ તો મા કહી દે કે, ‘તું ન સમજે ! એમાં જ હું એનું ભલું ભાળું છું.' .' એ જ રીતે યોગ્યની રક્ષા અને પ્રકાશન માટે અયોગ્યનું પણ સ્વરૂપ બતાવતાં અયોગ્યને દુઃખ થાય, એમાં છ કાયની રક્ષાને એક લેશ પણ હાનિ પહોંચાતી નથી. એ જ રીતે જનતાને સુધર્મ સમજાવવા કુધર્મનું ઉન્મૂલન કરવું, એ ધર્મને એના વાસ્તવિક સ્વરૂપમાં ખુલ્લો કરી બતાવવો, એ પણ સમ્યગ્દર્શનની સેવાનો જ એક પ્રકાર છે. જેમ શ્રી અરિહંતદેવને ભજવામાં દર્શનસેવા છે, એમ જ લોકને પણ તે તરફ ખેંચવા, એમના ભલાના ઇરાદે કુદેવની એક-એક ખામી એમના સામે
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy