________________
૩૧૧
-
સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧
'16
તમને બતાવી, તમારામાંથી તે કાઢી અને પછી તમારા હૈયામાં પણ પ્રભુનું આગમ સ્થાપવાનું છે. સંસારનો રોગ નાશ કરવા માટે સંસારની વાસના રૂપી મળ સાફ કરવા માટે, પ્રથમ જુલાબ દેવા પડશે, કારણ કે, મળ સાફ થયા પછી જ ઔષધ કામ કરે તેમ છે; માટે અહીં આવનારે અહીંના જુલાબ લેવાની તૈયારીથી જ આવવાનું.
હવે એક સહજ વાત યાદ રાખી લો કે, આ શ્રીસંઘરૂપ મેરૂ પર્વતની પીઠ એ, સમ્યગ્દર્શન છે. કારણ કે, શ્રી જિનેશ્વરદેનવા શાસનમાં જ્ઞાન તથા ચારિત્રનો આધાર સમ્યગ્દર્શન ઉપર જ છે. સમ્યગ્દર્શન વિનાનું ગમે તેવું અને ગમે તેટલું પણ જ્ઞાન તે અજ્ઞાન જ છે. વ્યવહારમાંય કુશળ વેપારી પણ વેપાર શા માટે કરવાનો, એ જો ન જાણતો હોય તો ? મુનીમ બધી વાતે હોશિયાર હોય, માલ લઈ જાણતો હોય અને વેચી પણ જાણતો હોય, તે છતાં પણ એ બધું શા માટે; એ ન જાણતો હોય તો તે શા કામનો ? આ જ કારણે જ્ઞાન અને ચારિત્ર શા. માટે ? – એનો નિશ્ચય થવો તે જ સાચું સમ્યગુદર્શન છે, કારણ કે, એ નિશ્ચય વિના ધ્યેયશુદ્ધિ નથી અને ધ્યેયશુદ્ધિ વિના સમ્યગુદર્શનની પ્રાપ્તિ શક્ય નથી.
આ જ હેતુથી જ્ઞાન અને ચારિત્રની જરૂર શા માટે ? જ્ઞાની બનવું શા માટે ? ચારિત્રી બનવું શા માટે ? એ બધાનો નિશ્ચય થવો, એ શુદ્ધ સમ્યગદર્શન છે. એવા શુદ્ધ ધ્યેયને પેદા કરનાર સમ્યગુદર્શન વિનાનું ગમે તેવું જ્ઞાન તે અજ્ઞાન છે અને ઘોર ચારિત્ર કે તપ તે કાયકષ્ટ છે. એકેએક સંસારી આત્મામાં જે રોગ ભર્યા છે તે કાઢવા માટે યથાસ્થિત વસ્તુ કહેનાર શ્રી અરિહંતદેવ છે. માટે જે એ તારકનું કહેલું છે તે જ સાચું અને શંકા વિનાનું, એવી જે શુદ્ધ શ્રદ્ધા તે સમ્યગ્ગદર્શન અને સમ્યગ્દર્શનની પ્રાપ્તિ વિના કદી જ સિદ્ધિ થવાની નથી.
જેના ઉપર વિશ્વાસ હોય તેની આજ્ઞામાં કદી જ શંકા ન ઊઠે; તે ગમે ત્યારે ગમે તે કહે અગર ગમે ત્યાં મોકલે તો પણ સીધા ચાલ્યા જ જવાય. જે રસ્તે ચાલવાથી ઇષ્ટ સ્થળે પહોંચવાની શ્રદ્ધા હોય, તે રસ્તે ચાલતાં પગ કેવા ઊપડે અને ન હોય તો કેવા ઊપડે ? માર્ગની શ્રદ્ધા વિના ચાલવું સફળ કે નિષ્ફળ ? આ બધો વિચાર કરશો તો આપોઆપ જ સમજાઈ જશે કે, સમ્યગ્દર્શન વગરનું જ્ઞાન તે જ્ઞાન નથી, ચારિત્ર તે ચારિત્ર નથી, તપ તે તપ નથી, ધ્યાન તે ધ્યાન નથી, અને ત્યાગ તે ત્યાગ નથી, કારણ કે, “એક સમ્યગ્દર્શન વિના આ . બધું નકામું છે.” એમ સહેલાઈથી સમજાઈ જશે. સમ્યગદર્શન એટલે?
સંસાર અસાર છે અને મોક્ષ એ જ સાર છે, સંસાર તજવાનો અને મોક્ષ