SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૮ સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – – 318 ધરવી, તે પણ સમ્યગ્દર્શનની સેવા છે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં રહે એ જ ગુરુ અને એવા સદ્ગુરુની સેવામાં જેમ સમ્યગદર્શનની સેવા છે. તેમ જિનાજ્ઞાથી વિરુદ્ધ વર્તનારા, મહાવ્રતને ખીંટીએ ભરાવનારા, આગમથી ઊલટું બોલનારાને ખુલ્લા કરવા, એ પણ સમ્યગ્દર્શનની સેવા છે. મહાવ્રતોને આઘાં મૂકે અને આજ્ઞાથી ઊલટું બોલે અને ઊલટું આચરે, એ બધા સાધુઓ નથી, પણ વેષધારીઓ છે અને એવાઓ માટે જ આ વાત છે. સભાઃ ઓઘો હાથમાં હોય તો ? એ બચાવ નથી. ઓઘો હોય ને વેશ્યાને ત્યાં જાય તો ? માટે એવા પોલા . બચાવો આ શાસનમાં ચાલે જ નહિ. લૌકિક દૃષ્ટિએ મહાવ્રત પાળતા હોય તે છતાં પણ, જો પ્રભુની આજ્ઞાને જે આઘી મૂકે, તેનામાં મહાવ્રતો રહી શકતાં જ નથી. આ કારણે ભદ્રિક જીવોના શ્રેયઃ માટે એવાઓને જરૂરી પ્રસંગે ઉઘાડા કરવામાં પણ હરકત નથી. જો કે એવાઓને ઉઘાડા કરવામાં તો મોટો વિગ્રહ છે, કારણ કે, એવાઓ તો સામાનો જાન લેવાની પણ તક શોધે ! ખોટી વાતો ફેલાવે, ખોટા આરોપ મૂકે કે, જંગ મચાવે, ધાંધલ કરે, પણ તેમાં પ્રભુમાર્ગનો ઉપદેશક શું કરે ? એક આદમીનું અયોગ્ય સ્વરૂપ ખુલ્લું કરી બતાવવામાં આવે, એટલે તે દુશ્મન તો થાય જ ! પણ શાસ્ત્ર કહે છે કે, શક્તિ હોવા છતાં અયોગ્યતા વધવા દે અને રોકવાના પ્રયત્ન ન કરે, તો તે વિરાધક ભાવને પામે છે. , આ જ કારણે આપણા એકેએક ઉપકારી મહાપુરુષોએ એવી ઉદ્ઘોષણાઓ કરવાનો અવસર આવ્યો ત્યારે જરાય કચાશ રાખી નથી. વધુમાં એવા શાસનરક્ષક અને ધર્મના ધોરી આચાર્યદેવો માટે ખાસ કાયદાઓ શાસ્ત્ર રાખ્યા છે. એવા આચાર્યદેવો માટે અમુક અમુક અવસરે ભિક્ષા અમુક ઘરની જ, અમુક સાધુ જ લાવે, અને તે પરમોપકારી સૂરિપુરંદરો આહાર પણ એકાંતમાં જ કરે, આ વિધિ છે. પ્રભુએ ફરમાવેલા પાંચેય આચારોમાં જ કુશળ તે આચાર્ય, એટલે કે સુંદર આચારોને (પંચાચારોને) પોતે પાળે, બીજાને પળાવે અને વિરુદ્ધ આચારવિચારોનું નીડરપણે કાયમ ખંડન કરે. શ્રી જૈનશાસનના આચાર્યોનું આ સદા માટેનું કામ છે; આથી વિરુદ્ધ આચારવાળાઓ એમને અનેક રીતે આપત્તિમાં મૂકવા ઇચ્છે માટે જ એવા સમર્થ ધર્મના ધોરી આચાર્યદેવો માટે ઘણા ઘણા પ્રકારની વિધિઓ બાંધી છે, કારણ કે, વસ્તુના રક્ષણ માટે આ શાસ્ત્રોએ યોગ્ય ઉપાયો અને સાધનો દર્શાવવામાં કશી જ કમીના નથી રાખી અને આગમની
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy