SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મૂલન - 26 તમારા’ એ વાત જ ભૂલી જાઓ. તમારા તો ગુરુ ! અમે જે શિષ્ય, આજ્ઞાપાલક કે સેવક છીએ તે તો પ્રભુના અને એ તારકના આગમના ! તમને પરવા નથી માટે તમારે કરવાં ઘટે તેવાં ઘણાં કામ અમારે કરવાં પડે છે. તમે સાવધ હોત, ચોવીસે કલાક ધંધાધાપામાં જ ન ગુંચાતા હોત ને આ બધી સંભાળ લેતા હોત, તો અમારે કરવાની શી જરૂર ? 311 ૩૧૧ દહીં-દૂધિયા ન બનતાં સુસ્થિર બનો ! ભૈયો બળવાન અને સમજદાર હોય તો શ્રીમંતને - ઘરના માલિકને બૂમ મારવી જ ન પડે, કેમ કે, ‘પેલો જેવા તેવાને ઘૂસવા જ ન દે !' જો ભૈયો ઘૂસવા દે તો તો માલિકને પણ બૂમ મારવી પડે, એને ગમાર પણ કહેવો પડે. કહેવું પડે કે ગમાર ! જેને તેને ન ઘૂસવા દે ! એને સમજાવવો પડે, ઠપકો પણ આપવો પડે. અંગ્રેજ લોકોમાં રિવાજ જ એવો છે કે, કોઈ એકદમ અંદર જઈ ન શકે. ચિઠ્ઠી લખે, એમાં નામ, ઠામ, કામ બધું લખે, તે નોકર સાહેબને આપે, પછી જવાની રજા મળે; તે પણ એને ગમે તો બોલાવે નહિ તો ટાઇમ આપે. આવનારો ખરાબ ધારણાથી આવ્યો હોય તો પણ એકદમ તો એની મુરાદ પાર ન જ પડે. એનો દૃમામ દેખાવ એવો કે, સામાને ઊભું જ રહેવું પડે ! તેવી જ રીતે ધર્મીઓએ દહીં-દૂધિયા ન. બનતાં સ્થિર બનવું જોઈએ. ભગવાનના માર્ગમાં પણ ‘હા’ કહેવી અને મોહના રાજ્યમાં પણ ‘હા' કહેવી-અહીં પણ ‘જી' અને ઘેર પણ ‘જી', ધણીને કહે કે, ‘ધા’ અને ચોરને કહે કે, ‘નાસ' ! એન્રી સ્થિતિવાળા ન જ બનવું જોઈએ. શ્રાવકની સાચી પેઢી કઈ ? વિવેકગિરિ પર આવેલા શ્રી સર્વજ્ઞપ્રભુના જૈનધર્મપુરના નામના નગરમાં સર્વવરિત રાજાએ દેશિવરતિને યુવરાજ પદવી લેવાનું કહ્યું; પણ દેશવિરતિ · એ પદવી લેતો નથી, કેમ કે, લે તો દુનિયાદારીના સંબંધ તોડવા પડે છે, પછી ત્યાંની વાતમાં ‘હાજી’ થાય ? ન જ થાય; પણ શિથિલ અને નામના શ્રાવકો તો જબરા, કારણ કે, અહીં એમ કહે કે, ‘પ્રભુના ત્યાગમાર્ગની શી વાત !’ બહાર જઈને કહે કે, ‘મહારાજ તો બધું કહે પણ આપણે તો બધું જોવું પડે ! જેવો અવસર !' આથી જ એવાઓના વચન ઉપર વિશ્વાસ ન રખાય, કારણ કે, વિરતિ થોડી અને તે પણ પ્રાયઃ નામની અને અવિરતિનો તો પાર જ નહિ એટલે ખેંચાણ ત્યાં જ થાય, એ ત્યાં જ ઢસડાય. ડાહ્યા દીકરાને એ દુનિયાદારીની પેઢીમાં જોડે, પણ અહીં જોડે ? પ્રાયઃ ન જ જોડે; કેમ કે, ખેંચાણ અવિરતિનું છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy