SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ 309 – ૨૩ : સન્માર્ગની સ્થાપના માટે ઉન્માર્ગનું ઉન્મેલન - 26 – ૩૦૯ ગભરામણ થાય તો એ ધર્મનો અધિકારી નથી. * શ્રી જિનેશ્વરદેવને કોઈ પ્રત્યે અરુચિ નહોતી પણ કરે શું? કેવળજ્ઞાન થયા પછી તો ભગવાન તીર્થ સ્થાપે છે. રાગ, દ્વેષ અને મોહનો સર્વથા ક્ષય થયો છે, છતાંયે એ તારકને પણ ઉન્માર્ગનું ઉમૂલન કર્યા વિના નથી ચાલતું; અને એથી જ કુવાદીઓ બધા જ વિરુદ્ધ, પણ થાય શું ? કારણ કે, “જનતામાંથી મિથ્યાત્વમળ સાફ થાય નહિ ત્યાં સુધી સમ્યકત્વ આવે નહિ, એટલે કે, હૈયામાં વસે નહિ. અવિરતિ જાય નહિ ત્યાં સુધી વિરતિ આવે નહિ. કષાયો જાય નહિ ત્યાં સુધી એના પ્રતિપક્ષી સદ્ગુણો આવે નહિ. અશુભ ધ્યાન જાય નહિ ત્યાં સુધી શુભ ધ્યાન આવે નહિ. અજ્ઞાન હઠે નહિ ત્યાં સુધી જ્ઞાન થાય જ નહિ. એટલે બીજો ઉપાય જ શો ? અમે તમારા નહિ પણ ભગવાનના છીએ: આથી હવે સમજી શકાશે કે, અહીં જે ખંડન કરવામાં આવે છે, તેનું કારણ એ જ કે, અજ્ઞાનમાં અજ્ઞાન વધે નહિ અને તમને મૂંઝવણ થાય નહિ માટે પીઠિકા કરું છું. કોઈ ફાવે તેમ કહે તોય ગભરાવું નહિ. સ્વરૂપને સમ્યક પ્રકારે સાચવવા અયોગ્ય માત્રનું ઉન્મુલન જ્ઞાનીને પણ કરવું પડ્યું, ત્યાં હું શું કરું કે બીજાય શું કરે ? શ્રી જિનેશ્વરદેવે તો કહ્યું કે, અજ્ઞાન એ જ મહાવરી છે; સંસારમાં ટકાવનાર, રખડાવનાર અજ્ઞાન જ છે; જગતને પોતાની ફરજથી ચૂકવનાર અજ્ઞાન છે; સારા ગણાતાઓ પણ સાચું સાંભળવાની સહનશક્તિ ગુમાવી બેઠા છે, એનું પણ કારણ અજ્ઞાન જ છે. અજ્ઞાનમાં ઘેરાએલા જગતને ધર્મ આપવા માટે સમ્યકત્વ આદિ આપતાં પહેલાં મિથ્યાત્વ આદિના ગંજના ગંજ પડ્યા છે, તેને ઉખેડ્યા વિના છૂટકો નથી. અનંતાનુબંધી કષાયો અને દર્શનમોહનીય પ્રકૃતિનો ઉપશમ થયા વિના ઉપશમ સમ્યકત્વ અને દર્શનીય મોહનીયના ત્રણ વિભાગો થયા પછી સાત પ્રકૃતિઓનો ક્ષયોપશમ વગેરે ન થાય ત્યાં સુધી ક્ષયોપશમિકાદિ સમ્યક્ત્વ ન થાય. અનંતાનુબંધી કષાયોમાં તે ગુણ છે કે, એ ધર્મરૂપ નગરમાં પ્રવેશ કરવા માટે સમ્યકત્વ સ્વરૂપ જે દ્વાર છે તેમાં પેસવા જ ન દે. એ દરવાજામાં પેસવું હોય અને એ દ્વાર ઉપરનો પહેરગીર યોગ્ય પ્રયત્નથી પણ ન માને તો આંખ લાલ કરવી પડે ને ? ધાક બેસાડવા માટે આંખ લાલ ન કરવી પડે ? પેઢી ઉપર લૂંટારો આવે તો સાઠ રૂપિયાનો મુનીમ કાંઈ ન કરે, પણ માલિક કેમ મૂંગો રહે ? અને જો એ પણ શક્તિ હોવા છતાં ઊભો ન થાય તો જરૂર સમજાય કે, એ માલિક નથી, પણ કોક બીજો જ છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy