________________
૩૦૮ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
308 છે કે, જ્યાં દેવો પણ ક્રિીડા કરે છે, એકેએક શ્રી જિનેશ્વરદેવનો જન્માભિષેક મહોત્સવ ત્યાં થાય છે, એ શાશ્વત અને સ્થિર છે. એ રીતે શ્રીસંઘ પણ આખા લોકની શોભારૂપ અને શાશ્વત છે. શ્રીસંઘને મેરૂની ઉપમા ક્યારે ઘટે ? મેરૂ જેવા બધા ગુણો જોઈએ ને ? યોગ્યતા વિના સંઘ મનાવું છે અને તેવા થવાની પરવા નથી, એવી દશા આજે છે. વસ્તુની ખબર નથી અને વસ્તુની ટીકા કરવી, એ કેમ બને ? એ દશાને લઈને દિવસે દિવસે જે ગુણ કેળવાવો જોઈએ તે કેળવાતો નથી, પણ ગુણનો હ્રાસ થાય છે.
મેરૂની ઉપમાના વર્ણનમાં સૌથી પહેલી પાદપીઠ કહી; અર્થાત્ ભોંયતળિયું કહ્યું. મેરૂ શાશ્વત શાથી છે ? આવા પ્રશ્નના ઉત્તરમાં એમ પણ કહેવાય કે એની. પીઠ મજબૂત છે માટે મેરૂની પીઠ વજની છે, વજમણી છે, કશાથી પણ ન ભેદાય તેવી છે. માટે એને ઘણાં વિશેષણ આપ્યાં છે; એ પીઠ દૃઢ, રૂઢ, ગાઢ અને અવગાઢ છે. યુગાન્ત કાળના પવનથી પણ મેરૂ કંપતો નથી એનું એ જ કારણ છે.
સ્થિરતાની ઉપમામાં મેરૂને સ્થાન છે; શ્રી જિનેશ્વરદ્ધો અને ધ્યાનસ્થ મુનિવરો મેરૂની જેમ અકંપ હોય છે એમ કહેવાય છે, કારણ કે, એની પીઠ વજની માટે એ અકંપિત છે. જો પીઠ મજબૂત ન હોય તો તે ઉપર ગમે તેટલો મોટો હોય તેની કિંમત નથી.
ટીકાકાર મહર્ષિ કહે છે કે, મેરૂની પીઠ દૃઢ એટલેન કંપે તેવી છે. કદાચ કોઈ કહે છે કે, અમુક વખત સુધી ન કંપે પણ પછી તો કંપે ને ? એટલા માટે રૂઢ કહે છે, રૂઢ એટલે ચિરકાલથી સ્થિર થયેલી છે અને સદા સ્થિર રહેનાર છે; એવી પણ ગાઢ છે અને અવગાઢ છે, અર્થાત્ બહુ જ ગાઢ અને ઊંડી છે. આવી વજયી પીઠવાળો મેરૂ પર્વત શાશ્વત છે, સ્થિર છે, કદી સ્થાન ન તજે તેવો છે. અનંતકાળ ગયો અને અનંતકાળ જશે, પણ એ તો છે તેવો જ અને તેટલો જ અને ત્યાં જ છે અને રહેવાનો. જરા પણ કંપ્યા વિના એ જ સ્થિતિમાં રહેવાનો. - હવે શ્રીસંઘની પીઠ કઈ ? એ વિચારવું જોઈએ અને વિચારીશું. એ તો તમે જાણો જ છો કે, શ્રી જિનેશ્વરદેવ વિતરાગ હતા, છતાંયે ધર્મની સ્થાપના કરતાં પહેલાં તે તારકે પણ અધર્મનું ઉમૂલન કર્યું, કારણ કે, એ વિના ચાલે જ નહિ દુનિયામાં એવો એક પણ ખેડૂત નથી જોવાતો, કે જે જમીન ઉપરના કચરાને સાફ કર્યા વિના બીજ વાવે. તેવી જ રીતે સામાના હૈયામાં ધર્મ સ્થાપન કરતા પહેલાં, સામાના અંતરનો કચરો કાઢવો જોઈએ, એ કાઢવામાં જ એને