SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 294 તીર્થંકરદેવો પણ કહેશે; કારણ કે, અનંતજ્ઞાનીઓના કથનમાં ફેરફાર હોય જ નહિ. બાકી ક્રાંતિ એટલે વસ્તુ અને વસ્તુના સ્વામીમાં ફેરફાર, એમ કહેતા હોય તો ફેરફાર તો ચાલુ જ છે. આયુષ્ય ઘટ્યાં, શરીર ઘટ્યાં, બળ ઘટ્યું, લક્ષ્મી ઘટી, પૃથ્વીના રસકસ ઘટ્યા, સામગ્રી ઘટી, રોગો વધ્યા, શ્રીમંતાઈ ઘટી અને દારિદ્રય આવ્યું. ક્ષમા ગઈ અને ક્રોધ આવ્યો, શાંતિ ગઈ અને અશાંતિ આવી. આમ બધાય ફેરફાર તો ચાલુ જ છે. પહેલાં ગાદી ઉપર ટેકાથી બેસતા, હવે ખુરશી ટેબલ ઉપર પગ નીચે રાખીને બેસવું પડે છે. પુણ્ય ગયું, પાપ વધ્યું આવા આવા ફેરફાર તો રોજ ચાલુ છે. ફેરફાર કરવાનું કહેનારાને પૂછો કે, “શું કરવા માંગો છો ? તમારે નવું શું કરવું છે ?' ફેરફારો તો ચાલુ જ છે. ઉત્સર્પિણીમાં સારા અને અવસર્પિણીમાં ખરાબ ફેરફારો નિયત જ છે એ ફેરફારોને અનુસરીને ભગવાન શ્રી મહાવીરદેવે પોતે પણ ફરમાવ્યું છે કે – “જંબૂસ્વામી' નામના કેવળજ્ઞાની મોક્ષમાં ગયા પછી, મન:પર્યવજ્ઞાન, પરમાવધિ, આહારક શરીરની લબ્ધિ, જિનકલ્પ, પુલાકલબ્ધિ, ક્ષપકશ્રેણિ ઉપર આરોહણ અને “૧. પરિહાર વિશુદ્ધિ, ૨. સૂમસપરાય તથા ૩. યથાખ્યાત આ ત્રણ ચારિત્ર નહિ થાય, એવી જ રીતે આગળ પણ બધી ઋદ્ધિ હીન-હીનતર થયા કરશે.” આ ઉપરથી સ્પષ્ટ સમજાય છે કે, ભગવાન શ્રી જંબુસ્વામીજીના નિર્વાણ પછી, આ ભરતક્ષેત્રમાં જન્મેલો કોઈપણ આત્મા, કેવળજ્ઞાન ઉપાર્જી નહિ શકે, મુક્તિ પામી નહિ શકે; તેમજ “મન:પર્યાય” તથા “પરમાવધિ જ્ઞાન, આહારક શરીરની લબ્ધિ, જિનકલ્પ, પુલાકલબ્ધિ, ક્ષપકશ્રેણિ અને “પરિહારવિશુદ્ધ' આદિ ઉપરનાં ત્રણ ચારિત્ર પણ કોઈ આત્મા પામી નહિ શકે.” આ પ્રમાણે અનંતજ્ઞાની પરમાત્મા શ્રી મહાવીર મહારાજાએ બધી જ પરિસ્થિતિ જાહેર કરી છે. થનારું એક પણ પરિવર્તન તે અનંતજ્ઞાનીની દૃષ્ટિ બહાર ન હતું અને લોકાલોક પ્રકાશક જ્ઞાનના સ્વામીની દૃષ્ટિ બહાર હોય પણ કેમ ? १. स्वामिना चेदमाख्यातं, जम्बनाम्नि शिवं गते । ન મન:પર્યવો માવી, ન ચાપિ પરમાવઃ II "नाऽऽहारकवपुर्लब्धि-जिनकल्पस्तथा न हि । पुलाकलब्धिनो नों वा, क्षपकश्रेणिरोहणम् ।।२।। "न च स्यादुपरितनं, संयमत्रितयं क्वचित् । एवं भविष्यत्यग्रेऽपि, हीनहीनतरद्धिता ।।३।।"
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy