________________
૨૮૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
આજના ઉચ્છંખલ જુવાનિયાઓનું લોહી વેગબંધ વહે છે, પણ છિદ્ર બહાર વહે છે. શરીરમાં લોહી બંધનથી ફરે છે માટે શરીર ટકે છે; લોહી પણ અંકુશની બહાર જાય અને આડે માર્ગે વહેવા માંડે કે, બે-ચાર દિવસમાં ખોખું (શરીર) સાફ થાય. આજે જુવાનિયાઓનું લોહી એ રીતે વહી રહ્યું છે.
280
એ કહે છે કે, અંકુશ ન પાલવે. અંકુશ વિનાનાના નાયક બનવું હોય, એણે પણ એમના બનીને રહેવું હોય, તો જ એ નાયકપદે ટકે. અમે કહીએ છીએ કે, જેના નાયક બનવું હોય, તેના ઉપર અંકુશ મૂકો ! પછી નાયક બનો. જો એ અંકુશ સ્વીકારે તો એમના નાયક બનો. જો એ અકુંશ ન સ્વીકારે તો એમના નાયક થવાની ના પાડો, ભટકવા દ્યો. જેને એવાના ગુરુ બનવું હોય, તેણે ‘એ કહે તેમ કરવું' એમ લખી આપવું પડે, તો જ ગુરુ બની શકે.
સાચા સાધુઓએ તો એવાઓના ગુરુ થવાની ઇચ્છા ન જ રાખવી જોઈએ. તેઓ કહે કે, ‘અમે તમને ન માનીએ' તો સાચા સાધુઓએ કહી દેવું જોઈએ કે, અમે એ જ ઇચ્છીએ છીએ, કારણ કે, તમારા જેવા આગમના અંકુશને અને તારક મહાપુરુષોને નહિ માનનારાઓ અમને ન માને, એમાં જ અમારી સાધુતા છે ! સાચા સાધુઓ સાથે તેઓનો મેળ મળે જ નહિ. કેમ કે, સાધુઓને અંકુશમાં રહેવાનું છે અને તેઓને અંકુશની બહાર રહે છે, એવા નિરંકુશોના નમસ્કાર પણ ભયંકર છે. એવાઓના નમસ્કારથી રાચવું, એ આત્મકલ્યાણનો સંહાર કરવા બરાબર છે. અંકુશ વિનાનાના નાયક બનવું એના કરતાં ‘નાયક’ નામ વિનાના રહેવું વધારે સારું છે.
તમે કયા કુટુંબની માલિકી ઇચ્છો ? ચોટ્ટાની કે શાહુકારની ? કુટુંબમાં પાંચ ભાઈ હોય, પચ્ચીસ દીકરા હોય, વહુઓ હોય, એમાં કોઈ ચોર હોય, બદમાશ હોય, ખૂની હોય, એના નાયકની શું દશા થાય ? અધર્મીઓ, અધર્મ કરી આવે ને ભોગ નાયકના ! એવા કુપુત્રોના પ્રતાપે લાખ જાય ને નામ આગેવાનનું લેવાય ! પેલો ના કહે તો સામેવાળા કહે કે, “બાપ શું કામ થયા હતા ? વડીલ કેમ થયા હતા ? પેઢીમાં નામ કેમ રાખ્યું હતું ? આથી સાચા સાધુઓએ સ્વચ્છંદીપણે વર્તનારાઓના ગુરુ બનવાની લાલસા છોડી દેવી જોઈએ; એવાઓ ‘ન નમીએ' એમ કહે એ જ ઠીક ! એમાં જ સાધુઓ સમજે કે, અમારામાં કાંઈ છે. જો એવાઓ નમતા આવે, તો તો પોતાની જાત ઉપર શંકા આવે, કેમ કે, એ નમ્યા કેમ ? ભૂલેચૂકે એમને ફાવતું કાંઈક અમારાથી થઈ ગયું હોય, એવી શંકા આવે.
લૂંટારો જો પોતાને નમતો આવે, તો સાચા શાહુકારને તો મૂંઝવણ થાય કે, આ