________________
279 * -- - ૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? – 24 - ૨૭૯ સ્થાપેલો શ્રીસંઘ તે આ પ્રકારનું હોય ! શ્રી તીર્થંકરદેવ પછી પૂજ્ય કોટિનો શ્રીસંઘ તે પ્રભુનો સ્થાપેલો જોઈએ, બનાવટી નહિ જ !
પ્રભુએ જે ઉદ્દેશ, જે ધોરણ, જે કાર્યવાહી ઘડી, તે મુજબ ચાલનારો એ જ ભગવાનનો સંઘ ! પોતાની કલ્પના મુજબ નવું ઘડનારો ભગવાનનો સંઘ ન હોય, ચોમાસામાં સ્વયમેવ અળસિયાં પ્રગટે અને સૂર્યના તાપથી સાફ થઈ જાય, એ રીતે જે પોતાની મેળે ફાટી ફૂટી નીકળેલા હોય તે પ્રભુના સંઘમાં ન ગણાય. એ અળશિયાનું સત્ત્વ કેટલું? સૂર્યનો તાપ ન રહી શકે એટલું !મતિકલ્પનાથી ફૂટી નીકળેલા પોતે પોતાને સંઘ કહેવરાવે, તેવાઓની અળશિયાંથી વધારે કિંમત નથી. અળશિયાં પાકે ઘણાં, પણ ટકે નહિ એકે ! પાકે તો એટલાં બધાં કે, સારા માણસને પગ મૂકવો ભારે પડે, પણ એની હયાતી અલ્પકાળ સુધીની જ !એ ગમે તેટલાં ફાટી નીકળે તો પણ મૂંઝાવું નહિ!જ્યાં ત્યાં એનો વાસ હોય તોય ગભરાવું નહિ, એમ ન હોય તો એ અળશિયા ન કહેવાય ! નામ તેવા ગુણ હોય.
અહીં જે વર્ણન ચાલે છે, તે પ્રભુએ સ્થાપેલા શ્રીસંઘનું; પણ પોતાની મેળે બહાર આવેલાનું વર્ણન આ નથી. “અમે સંઘ, અમે સંઘ !!! નો પોકાર કર્યા કરનારાઓનું આ વર્ણન નથી. પ્રભુનો સંઘ એમ બોલતો નથી, એ તો એના વર્તાવથી જ ઓળખાય છે. એમને કોઈ માનતું નથી માટે એમને એવો પોકાર કરવો પડે છે. અળશિયાં જેટલા ફણીધર દેખાય તો ? પણ એ તો બને જ નહિ. અળશિયાં જ બધે ફૂટી નીકળે, પણ એની તાકાત કેટલી ? રીતસર ખસી પણ ન શકે; મોટે ભાગે તો બિચારાં ત્યાં ને ત્યાં જ શમી જાય ! નિરંકુશ ટોળાંના નાયકોની કફોડી દશા!
એલફેલ બોલનાર, પોતાની મરજી મુજબ ચાલનાર તથા મનફાવતી વાતો કરનારનું વર્ણન કરવા શાસ્ત્રકારો નવરા નથી. વર્ણન તો તેનું થાય કે જેની
એકસરખી મર્યાદા હોય, જેની રીતિ-નીતિ એકસરખી હોય, જે ઉત્તમ વર્તુળમાં ' ગોઠવાયેલો હોય, જે અંકુશમાં હોય ! અંકુશ વિનાનાનાં વર્ણન શાં?
અહીં પ્રભુએ સ્થાપેલા સંઘનું વર્ણન ચાલે છે, પોતાની જાતે પોતાને સંઘ તરીકે ઓળખાવનારનું વર્ણન નથી ચાલતું. પોતાની જાતે “સંઘ-સંઘના પોકાર કરનારા એ બનાવટી છે.
જુવાનિયાઓ ધારે તો યુગ૫રિવર્તન કરે, ધાર્યું કામ આપે, કેમ કે, ચડતું લોહી છે, પણ એ લોહી ઉપર અંકુશ હોય તો ! આજે એ લોહીનો પ્રવાહ યોગ્ય દિશામાં નથી રહેતો. શરીરમાં ઘા ન પડે ત્યાં સુધી લોહી બરાબર વહે, પણ ઘા પડે એટલે લોહી વહી જાય. જેમ જેમ લોહી વહે તેમ તેમ શરીર અશક્ત થાય.