SearchBrowseAboutContactDonate
Page Preview
Page 299
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ : કોના અંતરનો અવાજ મનાય ? વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, પોષ સુદ-૭, મંગળવાર, તા. ૭-૧-૧૯૩૦ બનાવટી સંઘની કિંમત કેટલી ? નિરંકુશ ટોળાંના નાયકોની કફોડી દશા ! • સુધારાઓ કરી શકાય કે કેમ? • અંતરઅવાજ, કોનો મનાય ? સમાનવાદના સિદ્ધાંતની પોકળતા : સુધારાના નામે પાપપ્રચાર ન કરો! શ્રી જૈનશાસનની દૃષ્ટિએ પરોપકાર : આર્તધ્યાન વધે કે રૌદ્રધ્યાન ? બનાવટી સંઘની કિંમત કેટલી ? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજીએ, શ્રી નંદીસૂત્રના મંગલાચરણમાં શ્રી તીર્થંકરદેવ પછી શ્રીસંઘને પૂજ્યકોટિનો કહી, આઠ રૂપકથી સ્તવના કરી છે જેમાંનાં સાત રૂપકો તો આપણે જોઈ ગયા; હવે આઠમું અને છેલ્લું રૂપક મેરૂનું છે. શ્રીમેરૂ પર્વત જેમ આખા લોકની મર્યાદા કરનાર છે, આખા લોકની શોભારૂપ છે અને શાશ્વત છે, તેમ શ્રીસંઘ પણ આખા લોકની મર્યાદા કરનાર છે, સમગ્ર લોકમાં શોભરૂપ છે અને મહાવિદેહ ક્ષેત્રમાં શાશ્વત છે; શાશ્વત ચીજનો નાશ કોઈ કાળે થતો નથી. પૂજ્ય શ્રીસંઘ પણ સદૈવ શાશ્વત કોટિનો છે. સુંદરતા શ્રીસંઘમાં છે, સર્વત્ર મધ્યવર્તિતા શ્રીસંઘમાં છે. બધાની યોગ્ય વ્યવસ્થા કરનાર શ્રીસંઘ છે, બધા નયોનો સમન્વય કરી સર્વને સુંદર અને સુસ્થિત બનાવનાર શ્રીસંઘ છે, ખરાબ માત્રને દૂર કરી, જેટલું સારું હોય તેટલું તમામ સંગ્રહિત કરનાર પણ શ્રીસંઘ છે. શ્રીસંઘમાં ઘાલમેલ ન નભે. શ્રીસંઘ તો વસ્તુને વસ્તુગતે પ્રકાશિત કર્યા વિના રહે જ નહિ. આ એનો મોટામાં મોટો ગુણ છે. એનામાં મંદી ત્રુટિ ન આવે. એક પણ અયોગ્ય વસ્તુને શ્રીસંઘ સંઘરે નહિ (સંગ્રહે નહિ). પ્રભુનો
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy