________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
૧“એમ કહી રામચંદ્રજી ધનુષ્ય લેવા માટે ઊભા થયા. ધનુષ્યને હાથમાં લેતા શ્રી ૨ામચંદ્રજીને નમસ્કાર કરીને, શ્રી લક્ષ્મણજી કહે છે કે : - “હે પૂજ્ય ! નિશ્ચયપૂર્વક આ સઘળો લોક આપનો કિંકર છે, પણ આ શું ? જેમ ન્યાયનિષ્ઠ એવા આપે દોષથી ભય પામીને સીતાદેવીનો ત્યાગ કર્યો હતો, તેમ આત્મનિષ્ઠ અને ભવથી ભય પામેલાં શ્રી સીતાદેવીએ સર્વનો ત્યાગ કર્યો ! આપની સામે જ પોતાને હસ્તે કેશને ઉખેડી નાખી, શ્રીમતી સીતાદેવીએ વિધિ મુજબ દીક્ષા અંગીકાર કરી અને હમણાં જ તે દીક્ષા આપનાર - મહર્ષિને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું છે. તેમનો કેવળજ્ઞાન મહોત્સવ પણ અવશ્ય આપને કરવા યોગ્ય છે. સ્વામિની શ્રી સીતાદેવી પણ ત્યાં જ છે, કે જે મહાવ્રતોને ગ્રહણ કરી સતીમાર્ગની માફક મુક્તિમાર્ગને પણ બતાવી રહ્યાં છે. આવે સમયે આપના જેવાને આ ન છાજે.”
८
આ બધો સંઘ છે હોં ! આ બધા સંયોગ યાદ રાખજો !
લક્ષ્મણજીનું કથન સાંભળીને તરત શ્રી રામચંદ્રજી સાવધ થાય છે અને કહે છે કે -
“સારી વાત છે કે – મારી પ્રિયાએ તે મુનિવર પાસે દીક્ષા અંગીકાર કરી.”
આ પ્રમાણે કહીને તરત જ પરિવારની સાથે તે મુનિવ૨ની પાસે ગયા અને વંદન કરીને દેશના સાંભળવા બેઠા; પણ આજના કેટલાક નામજૈનોની જેમ‘સીતાને દીક્ષા આપનાર એ મુનિ નથી તથા સીતા એ સાધ્વી નથી’-એવો કોઈએ ઢંઢેરો તે વખતે ન કાઢ્યો; કારણ કે-એ બધા પોતાની ફરજ સમજતા
૧. ફત્તુવન્ના થઘ્ન વૃક્ષન્ત, તે નવા નક્ષળોદ્રવીત્ ।
आर्यार्य किमिदं लोकः, खल्वेष तव किङ्करः ।। ४ ।। सीतां यथा दोषभीतोऽत्याक्षीस्त्वं न्यायनैष्ठिकः । भवभीता स्वार्थनिष्ठा, तथा सा सर्वमत्यजत् ।। ५ ॥
प्रत्यक्षमिह वः सीता, स्वयमुत्पाटय कुन्तलान् । આન્દ્રે વિધિવદીક્ષાં, નવભૂષળસનિયો ।। ૬ ।। इदानीमेव तस्यर्षेरुदपद्यत केवलम् । तज्ज्ञानमहिमावश्यकृत्यमस्ति तवाऽपि हि ।। ७ ।। तत्रास्ते स्वामिनी सीता, स्वामिन्नात्तमहाव्रता । दर्शयन्ती मुक्तिमार्ग, सतीमार्गमिवाऽनघा ॥ ८ ॥ राम: प्रकृतिमालब्योवाच साधु मम प्रिया । ૩૫ાજ્યે પરિત્રનાં, તસ્ય વલિનોઽન્તિઃ ।। શ્।
-ત્રિ. શ. પુ. પર્વ-૭, સર્ગ-૧૦.