________________
- ૧ : સંઘપતિ કેવા હોય ? - 1
જાણી શક્ય : ખેર, હવે હાલમાં આ બધાની ક્ષમા કરીને, આ પુષ્પક નામના વિમાનમાં બેસ, ઘેર ચાલ અને પૂર્વની માફક મારી સાથે આનંદપૂર્વક રહે.”
શ્રી રામચંદ્રજીના આ કથનને સાંભળી શ્રી સીતાદેવી કહે છે કે : -
આવા પ્રકારના દુઃખરૂપ આવર્તને આપનારા કર્મોથી હું નિર્વેદને પામી છું, માટે તે કર્મોનો ઉચ્છેદ કરનારી દીક્ષા હું અંગીકાર કરીશ.”
ભાગ્યવાનો ! વિચારો કે – કયે સ્થાને અને કેવા પ્રસંગે મહાસતી શ્રી સીતાદેવી વૈરાગ્ય પામે છે ! આ પરિણામ ઉત્તમ સંસ્કારોનું છે. મહાદેવી શ્રી સીતાજી પોતાની ઉપર આવેલી આપત્તિઓમાં કોઈને પણ કારણ તરીકે નહિ માનતાં, એક પોતાના અશુભ કર્મને જ કારણ તરીકે માની, તે કર્મોને ઉચ્છેદ કરવા માટે સજ્જ થાય છે. આ સમયે નાનોસૂનો સંઘ નથી ઊભો : સોળ હજાર મુકુટબદ્ધ રાજાઓના સ્વામી શ્રી રામચંદ્રજી જેવા ઊભા છે. ઉત્તમ કોટિના આત્માઓ કાંઈ ઓછા નથી. કેટલાંક તો ચરમ-શરીરી પણ છે. આવો મોટો સંઘ ત્યાં છે. આજના સંઘમાં કોઈ ચરમ-શરીરી તો નથી ને ? પેલા સંઘમાં તો એ જ ભવમાં ચૌદપૂર્વી થનારા, અગિયાર અંગના પાઠી થનારા અને એ જ ભવમાં કેવળજ્ઞાન પામીને મુક્તિએ જનારા પણ હતા. એવા સમુદાયની સામે શ્રી સીતાજી રામચંદ્રજીને કહે છે કે-“હવે સંસારથી સર્યું. કર્મની ફાવટ ન થાય એવું સ્થાન શ્રી જિનેશ્વરદેવની દીક્ષા છે, તેને હું અંગીકાર કરીશ.” * શ્રી રામચંદ્રજી આ સાંભળીને દિમૂઢ બની ગયા. મોહનું જોર છે ને? પણ એ જ વખતે સુવર્ણકમળ પર બેઠેલાં સીતાજી કેશનો લોચ કરે છે અને એ કેશ પોતાના પતિ શ્રી રામચંદ્રજીને અર્પણ કરે છે. સીતાજીના વાળનો સ્પર્શ થતાં શ્રી રામચંદ્રજીને મૂચ્છિત અવસ્થામાં મૂકી, બધાના દેખતાં સીતાજી સંયમ લેવા જાય છે; એ સંયમ લે છે અને આપનાર આપે છે. આજ્ઞા લીધી કોઈની ? .' શ્રી રામચંદ્રજીની મૂર્છા વળી. સીતાને ન જોયાં એટલે પૂછયું કે - સીતા
ક્યાં છે ? જવાબ કોણ આપે ? તરત એમને પાછાં લાવવા હુકમ કર્યો, પણ લેવા જાય કોણ ? શ્રી રામચંદ્રજી કહે છે કે-“હે ભૂચરો અને ખેચરો ! તમે જો મરવાને ન ઇચ્છતા હો, તો મને સતા બતાવો : હા ! મારી આવી દુઃખી અવસ્થામાં પણ આ બધા ઉદાસીન છે !”
૧. “નિur viાની, સુણાવર્ત વિનામ્ | 1. પ્રદીપ રિન્યાં, તેષામુછરિ ૨૨૦ !”
-ત્રિ. શ. પુ. ચ. પર્વ-૭, સર્ગ-૯.