________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
એ ત્રણે સપત્નીઓએ એ ચરણય શ્રી રામચંદ્રજીને દેખાડીને કહ્યું કે-“જેને તમે સતી માનો છો, તે તો હજી પગ ચીતરી ચીતરીને એ રાવણનું ધ્યાન ધરે છે.”
૭
આની પણ અસર ન થઈ, પછી પેલી સ્ત્રીઓએ આ વાત દાસીઓને કરી. ચાર-આઠ દિવસમાં તો આ વાત આખી અયોધ્યામાં ફેલાઈ ગઈ. ભલભલા બુદ્ધિના નિધાનોને પણ લાગ્યું કે - “કાંઈક છે.”
સભા આજ પણ એ ‘કાંઈક’ મારે છે !
મારો મુદ્દો એ છે કે-અસત્ય અને પાયા વિનાની વાતોના શ્રવણનો એ પ્રતાપ છે. જો ખોટી વાતનું શ્રવણ આવી અસર કરે, તો શાસ્ત્રનું શ્રવણ અસર કેમ ન કરે ? પણ મુદ્દો એ છે કે-ખોટી વાત જેટલા પ્રેમથી સંભળાય છે, તેટલા પ્રેમથી એ સંભળાતું નથી. બજારની વાતમાં ઝટ કાન જાય; ત્યાં પ્રમાદ ઝટ દૂર થાય છે; જો આટલી લગની ધર્મશાસ્ત્રના શ્રવણમાં આવે, તો જીવનમાં આજે જ પરિવર્તન થાય.
અસ્તુ. એ વાતનું પરિણામ એ આવ્યું કે - શ્રી રામચંદ્રજી જેવા સમજદા૨ે પણ સીતાજીનો પરિત્યાગ કર્યો; ગર્ભવંતા સીતાજીને વગડામાં મૂક્યાં. શ્રી સીતાજી તો પુણ્યશાળી હતાં, એટલે ત્યાં પણ સંબંધી મળ્યા. ત્યાં ગર્ભપ્રસવ થયો. પુત્ર લવ અને કુશ મોટા થયા. પિતા સામે યુદ્ધ કરવા લાગ્યા. પરિણામે પિતા-પુત્રનો સંયોગ થયો અને શ્રી સીતાજીએ દિવ્ય કર્યું.
શ્રી સીતાદેવીએ જે સમયે દિવ્ય કરવાનો આરંભ કર્યો, તે સમયે પાસેના ઉદ્યાનમાં શ્રી જયભૂષણ નામના મુનિવરને કેવળજ્ઞાન થયું હતું. એનો મહોત્સવ કરવા ઇંદ્ર વિગેરે દેવતાઓ આવ્યા હતા. દેવો દ્વારા દિવ્યની વાત જાણીને ઇન્દ્રે પોતાના સેનાપતિને મહાસતી શ્રી સીતાદેવીની સહાયે મોકલ્યા. સીતાજી દિવ્યમાં પસાર થયાં, અગ્નિને બદલે પાણીથી ખાઈ ભરાઈ ગઈ. ત્યાં સુવર્ણકમળ ગોઠવાઈ ગયું. એના પર પોતે બેઠાં અને લવ-કુશ એ બે પુત્રો પાણીમાં તરી માતા પાસે જઈ, શ્રી સીતાજીની બાજુએ બેઠા. એ વખતે લક્ષ્મણ આદિ સર્વેએ ભક્તિપૂર્વક મહાસતી શ્રી સીતાદેવીને નમસ્કાર કર્યા અને શ્રી રામચંદ્રજીએ પણ અંજલિપૂર્વક કહ્યું કે :
“હે દેવી ! સ્વભાવથી જ અસદ્ દોષને ગ્રહણ કરનારા લોકની ઇચ્છા મુજબ વર્તીને મેં તારો ત્યાગ કર્યો, તે તું માફ કર ઃ શ્વાપદોથી.અતિશય ભયંકર બનેલા અરણ્યમાં પોતાના પ્રભાવથી તું વી, એ જ એક દિવ્ય હતું, એ હું ન