________________
5
' –
– ૧ : સંઘપતિ કેવા હોય ? - 1 -
જોવાનું કે ધ્યાન આડેઅવળે રાખવાનું ન હોય. એ તો જેમ જેમ વિધિ અને સંભાવપૂર્વક સંભળાય, તેમ તેમ આત્મામાં પલટો થાય જ. એકવીસ વાર શ્રવણ એ રીતે થાય તો ફળ જરૂર આપે. અથડાતી કાને આવેલી મામૂલી વાત આજે ડાહ્યાને પણ મૂંઝવે છે-તો આની અસર કેમ ન થાય ? આ કેમ ન પરિણમે ? ઉપજાવી કાઢેલી, વજૂદ વગરની, ખોટી, બનાવટી, બહારથી આવેલી, ઇરાદાપૂર્વક ગોઠવાયેલી વાતો જો મૂંઝાવે, તો આ શાસ્ત્રવાણી અસર ન કરે એ કેમ બને ? પણ વસ્તુ સ્વરૂપ સમજે તો અસર કરે ને ? સંઘપતિ શ્રી રામચંદ્રજી જેવા હોય?
શ્રી રામાયણમાં એક પ્રસંગ આવે છે; અત્યારના મૂળ મુદ્દાના સમર્થન માટે તે ઉપયોગી છે એટલે કહું છું. એ વખતે શ્રી રામચંદ્રજી, શ્રી લક્ષ્મણજી તથા મોટા મોટા રાજા-મહારાજાઓ પ્રભુના શાસનમાં હતા. એ સંઘ હતો ને ? સીતાજી સંયમ લેવાં જાય છે, ત્યારે શ્રી રામચંદ્રજી કઈ અવસ્થામાં છે ? સીતાજી પરનું કલંક સાચું હતું કે ખોટું ? ખોટું – પણ જગતે તો સાચું માન્યું હતું ને? કલંક આપનાર માત્ર ત્રણ સ્ત્રીઓ હતી; શ્રી સીતાજીની સપત્નીઓરામચંદ્રજીની બીજી પત્નીઓ હતી.
સીતાજી માટે શ્રી રામચંદ્રજીના હૃદયમાં જુદી અસર ઉત્પન્ન કરવા માટે, એ ત્રણ સ્ત્રીઓએ ઘણો પ્રયત્ન કર્યો, પણ એની અસર ન થઈ. પછી એ ત્રણે સ્ત્રીઓએ પોતાના દુષ્ટ હેતુને ફળીભૂત કરવાના જ એક ઇરાદાથી સીતાજીને આધીન થઈ અને પ્રસંગ પાડીને પોતાની ઇચ્છિત પરિસ્થિતિ ઊભી કરી. . સીતાજીને કહ્યું કે – તમે રાવણને ત્યાં ઘણો કાળ રહ્યાં; એ કેવો હતો-એ જરા બતાવો તો ખરાં; તમે જોયો તો હશે ને!
સીતાજી કહે છે કે – “આંખનું પોપચું ઊંચું કરીને મેં તેને કદી પણ જોયો નથી; હા, આંખ નીચે ઢળેલી રહે, એટલે એના પગ તો દૃષ્ટિમાં આવી જાય.” . સપત્નીઓએ પગ જોવાનો આગ્રહ કર્યો : સીતાજી ભોળાં બન્યાં; પગ આબેહુબ ચીતર્યા.
૧. શોક્યો. * ૨. સીતાણૂ મા દૃષ્ટ, સર્વા ન દ રાવ: | - તૃણો તષરાવેલ, શં નામ તિવામિ તમ્ ર૧૧ ||
- ત્રિ. શ. પુ. ૨. પર્વ-૭, સર્ગ-૮