________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
કેટલાક તો કહે છે કે, દરેક સંઘે અમારી જેમ જાહેરાત કરવી જોઈએ. એ તો માને કે, બધા અનુસરે એ ઠીક, પણ ‘સજ્જનો એનો અમલ ન કરે તો એ લખાણની કિંમત ફૂટી કોડીનીયે નથી' એ વિચાર તેઓને ન આવ્યો ? પણ એવો વિચાર ન આવે તે સ્વાભાવિક છે, કારણ કે, ત્યાં શાસ્ત્રના કથન મુજબનું સંઘત્વ નથી, એ પ્રકારની મનોભાવના નથી, એ આપોઆપ સાબિત થાય છે. જે શબ્દ હું કહેતો આવ્યો છું અને કહું છું, તેનું સમર્થન તેઓ પોતે જ કરે છે; મારા કથનની સાબિતી એ કરે છે; અમારું બોલેલું વિચારપૂર્વકનું હતું, એ હવે પુરવાર થાય છે. આવેશમાં આવીને બોલવાનો અધિકાર અમને નથી. બોલતાં પહેલાં અમારે પણ આજ્ઞા તપાસવી જોઈએ. સાધુપણું આપનારામાં મૂળગુણનું ખંડન ન હોય અને લેનાર સંયમનો રસિક હોય, એવાને મુનિ તરીકે ન માનવાનો ઢંઢેરો પીટવો, એ કેવી અને કેટલી ભયંકર વાત છે ? તેનો ખ્યાલ સરખો પણ જેઓ ન કરે, તેઓ કેવા અને કેટલા અજ્ઞાન છે, એ બતાવવાની કશી પણ જરૂર છે ? નથી જ : કેમ કે, તે સ્વયં સમજી શકાય તેમ છે. મતિકલ્પનાથી ફાવે તેમ બોલવાની છૂટ લેનાર, શ્રીસંઘ ગણાતો નથી અને પૂજ્યની કોટિમાં પણ રહી શકતો નથી.
૪
આચાર્ય એ પાંચે પદના પૂજારી ખરા; પણ તેથી સાધુઓ, પોતાને વાંદવાનું એમને ન કહે. આચાર્યને પદ બધાં પૂજ્ય, પણ વ્યક્તિગત વાત આવે ત્યાં તો આચાર્ય પૂજ્ય, તીર્થંકર-તીર્થને નમે, પણ બીજાને વ્યક્તિ દીઠ નમે ? નહિ જ. આખી દ્વાદશાંગી ભગવાનની જ કહેલી છે. ‘૩૫ન્નેરૂ વા । વિમેડ્ વા। થુવેડ્ વા ।' આ ત્રિપદી, એ દ્વાદશાંગીની જનેતા છે. ભગવાનની વાણી સર્વવ્યાપી છે. શ્રીતીર્થંકર દેવ, પણ કેવળજ્ઞાન થયા બાદ જ તીર્થ સ્થાપે છે. કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી તો એ પણ તીર્થંકરે આચરેલા માર્ગને અનુસરે છે; એમને પણ એ માર્ગને અનુસરવું પડે છે. ભગવાન સંયમ લેવા જાય છે, તે વખતે ‘કુલમહત્તરા’ આદિ સ્વજનો ભગવાનને કહે છે કે
“હે ક્ષત્રિયવર વૃષભ ! તું શ્રી જિનેશ્વરોએ ઉપદેશેલા અકુટિલમાર્ગે કરીને પરિષહોની સેનાને હણી શ્રેષ્ઠ એવા મોક્ષપદે જા !”
આ વાત શ્રી કલ્પસૂત્રમાં આવે છે. શ્રી કલ્પસૂત્ર એકવીસ વાર વિધિપૂર્વક સાંભળનાર આત્મા આ સંસારસાગર તરી જાય છે, પણ તે શ્રવણ કેવું ? ઝોકાં ખાતાં ખાતાં સંભળાય એવું નહિ. પરમ પવિત્ર સૂત્રને સાંભળતાં આડુંઅવળું
૧.
गच्छ य मुक्खं परं पयं जिणवरोवठ्ठेण ।
मग्गेण अकुडिलेण हंता परीसहचमुं ।।