________________
૧ : સંઘપતિ કેવા હોય ? - 1
મર્યાદા હજી ટકી રહી છે. વસ્તુ યથાર્થ હતી માટે રહી. આ ઉપરથી પણ શ્રીસંઘનું સ્વરૂપ હાથ આવી જાય છે.
૩
શ્રી નંદીસૂત્રના કર્તા સૂત્રકાર ભગવાન શ્રીસંઘની સ્તુતિ કરે છે. સંઘને અનેક પ્રકારની ઉપમાઓથી સ્તવે છે. તેમાં સૌથી પ્રથમ નગરીની ઉપમા આપી છે; પછી ક્રમસર ચક્રની, ૨થની, પદ્મ-કમળની, ચંદ્રની, સૂર્યની, સમુદ્રની અને છેલ્લી મેરુ પર્વતની ઉપમા આપીને શ્રીસંઘની સ્તુતિ કરીને શ્રીસંઘની પૂજ્યતાનું ઘણું જ સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે.
માનોં કે આ હિંદુસ્તાનના જૈનો ભેગા થયા હોય અને કોઈ મુનિ આવ્યાના ખબર મળે, તો એ બધા સામે જાય અને સન્માન કરે કે નહિ ? જો ઇરાદાપૂર્વક સામે ન જાય અને સન્માન ન કરે, તો એ બધા જૈન કહેવાય ? મુનિવરને દેખી જૈન માત્રને આનંદ થવો જ જોઈએ અને સન્માન કરવાની વૃત્તિ આપોઆપ જાગ્રત થવી જ જોઈએ. વ્યવહારમાં પણ બધા શેઠિયા બેઠા હોય, પણ કોઈ આગેવાન આવે તો વિવેક કરે છે ને ? ધર્મમાં પણ મર્યાદા એ કે સમસ્ત શ્રીજૈનસંઘ તે જ દિવસના દીક્ષિતને પણ નમે-સન્માન આપે અને તો જ એ શ્રીસંઘની કોટિમાં ગણાય.આ વાત સાધુ માટે છે, પણ સાધુ વેષમાં રહેલા વેષધારી માટે નથી. જાણીબૂઝીને માત્ર વેષધારીનું જ સન્માન કરવાથી તો સંઘત્વ જાય અને સાચા સાધુનું ઇરાદાપૂર્વક સન્માન ન કરવાથી પણ સંઘત્વ જાય.
સભા આચાર્યને શ્રી તીર્થંકર સમાન કહ્યા છે ?
“હા, નવ પ્રકારે આચાર્યની શ્રીતીર્થંકરદેવ સાથે સમાનતા બતાવી છે. શ્રીસંઘના આ સ્વરૂપને સમજનાર એવું પગલું ન ભરે કે જેથી સંઘત્વ તો જાય, પણ માણસાઈ પણ જાય. સો-બસો આદમીનું ટોળું કે એકાદ ગામનું અમુક ટોળું જાહેર કરે કે, ‘અમુક' સાધુને તથા નૂતન દીક્ષિતને સાધુ ન માનવા' એટલે બધા માની લે ? ‘બાળદીક્ષા અને અજ્ઞાનીઓને પૂછ્યા વિના થતી બીજી દીક્ષા શાસ્ત્રાનુસારી નથી, એમ પોતાની મતિકલ્પનાથી માની લઈ, ગુણવાનને પણ નિર્ગુણી માનવા-મનાવવાની વાતો કેમ ચાલી શકે ? રસ્તે જનારો કહી દે કે, પંચમ જ્યોર્જ રાજા નથી, એટલે આખું હિંદ માની લે ? મોટો ભાગ એમ કહેવા લાગી જાય, તોયે ઘણા એવા સમજુ પુરુષો છે, કે જેઓ ‘માન્યા વિના છૂટકો નથી' એમ સમજે છે; કારણ કે, સત્તા કોની ? અને સિક્કો કોનો ? અમુક માણસ આદમી નથી, એમ કહી દીધે કેમ ચાલે ? એનાં કારણો અને લક્ષણો બતાવવાં જોઈએ અને એમ થાય તો સાંભળનાર પણ જરા વિચારે.
+જુઓ સંબોધ પ્રક૨ણ સુગુરુ સ્વરૂપ-અધિકાર ગાથા : ૧૪૭ થી ૧૫૪.