________________
૨૨૪ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
[24. પાતાળમાંથી રત્નોને બહાર ખેંચી લાવે. મોજાં નીચેથી નીચેના પવનથી ઊછળે છે; બહારની હવાથી નહિ. જેમ સાગર મોટો તેમ મોજાં ઊંચાં. મૂળ ગુણો તથા ઉત્તરગુણોને ઉદ્દેશીને આત્માની તીવ્ર પરિણામધારાઓ જો શ્રીસંઘરૂ૫ સાગરમાં પ્રતિદિન ન ઊછળે, તો કોઈને કેવળજ્ઞાન પણ ન થાય કે, કોઈની મુક્તિ પણ ન જ થાય. શાસ્ત્રોનો નાશ કરાવવાની વાત શાથી?
પાંચ મહાવ્રતો, એ મૂળ ગુણો છે. એ ગુણોને જો બરાબર વિચારાય તો, આત્માનું મૂળસ્વરૂપ જ એ છે એમ સમજાય, આત્મસ્વરૂપને મૂળથી પ્રગટ કરવા માટે જ એ મૂળ ગુણો છે. એ ગુણોને વિઘ્નરૂપ થનારી બાહ્યસામગ્રીને અટકાવવી, એ ઉત્તર ગુણો છે. આ ગુણો આત્મામાં તો છે જ. પણ દબાયા છે, એને પ્રગટ કરવા માટે જ પ્રયત્ન કરવાનો છે.
એ ગુણો એટલા બધા ભુલાયા છે કે “એ.ગુણો લાવવા હોય તો એને બાધકે વસ્તુનો અનુભવ પહેલો કરવો જોઈએ.” આવી મૂર્ખાઈ ભરેલી વાતો પણ આજે થઈ રહી છે ! આટલી હદ સુધી એનું સ્વરૂપ વિસરાઈ ગયું છે. સંસાર, એ આત્માનું સ્વરૂપ નથી પણ વિરૂ૫ છે. બહારના સંયોગો આત્માથી પર છે, તેને ખસેડવા માટે જ આ ગુણો છે. આજનાઓ કહે છે કે - “આ ગુણો મેળવવા માટે પહેલાં સંસારના પદાર્થોના સહવાસની, અર્થાત્ – બાહ્યસંયોગોના અનુભવની જરૂર છે. પણ એ બિચારા અજ્ઞાન આત્માઓને ખબર નથી કે - “બાહ્ય સંયોગોનો અનુભવ તો અનાદિકાળથી ચાલુ છે. હિંસા કરવી, જૂઠું બોલવું, ચોરી કરવી, મૈથુન સેવવું અને પરિગ્રહ રાખવો. એમ કોઈને શીખવવું પડે એમ નથી, કારણ કે એ તો શીખીને જ આવ્યા છે. જે વગર પાઠ ભણ્ય આવડે, એના અનુભવની જરૂર શી ? એનો અનુભવ શો લેવો ? હિંસા, જૂઠ, ચોરી, સ્ત્રીસંસર્ગ અને પરિગ્રહવૃદ્ધિ એ તો બધાને જ આવડે છે, સારી દુનિયા એમાં રક્ત છે અને એથી જ આત્માનું મૂળ સ્વરૂપ ભુલાયું છે. પોતાને પોતાની હિંસા નથી ગમતી. એ શું સૂચવે છે ? એ જ કે - “અહિંસકપણું એ આત્માનું મૂળસ્વરૂપ છે, માટે પહેલો મૂળગુણ એ કહ્યો. મૂળ ગુણો પોતાના આત્માના) સ્વરૂપને જ અનુસરતા છે. પાંચ મૂળગુણો આત્માના મૂળસ્વરૂપને અનુસરનારા છે.
સભા: આત્મા તો અમર છે. પછી હિંસા શાની ?
આત્માને અમર કહી - “અહિંસાધર્મનો ઉચ્છેદ કરનારા અજ્ઞાન છે. આત્મા જ્યારે પોતાની સાથે વળગેલા સઘળાયે બાહ્ય સંયોગોને ખંખેરી નાખી સ્વસ્વરૂપમાં સ્થિર થાય, ત્યારે જ તેને સાચી અમરતા પ્રાપ્ત થાય તેમ છે, અને