________________
217
=
૧૮ : મહાપુરુષોના નામે મનફાવતું ન કરાય ! - 18
૨૧૭
જે પુણ્યપુરુષ પૂર્વના મહર્ષિઓની આજ્ઞામાં જ રહીને પ૨માત્મા શ્રી મહાવીરદેવના શાસનની આરાધના કરવા દ્વારા જગતના આત્માઓને પ્રભુના માર્ગમાં સ્થાપન કરનારા હતા, તે પુણ્યપુરુષનું નામ એક ભયંકર પાપકર્મમાં જોડવું, એના જેવી ભયંકર ઠગબાજી બીજી કઈ હોઈ શકે ? જો સાચા દિલથી તેઓ આ પુણ્યપુરુષને પણ માનતા જ હોત, તો પણ તેઓ આવું પાપકર્મ કરવાની ધૃષ્ટતા કરી પોતાના જીવનને નષ્ટભ્રષ્ટ ન જ કરત. એ પુણ્યપુરુષે તો સ્પષ્ટ ફરમાવ્યું છે કે
―
"मेरी श्रद्धा ऐसी नहीं है कि, पूर्वाचार्यों के अनुसारे बिना समाधान कर सकुं. मेरी कल्पना से कुछ जैनमत सत्य नहीं हो सकता है । जैनमत तो अपने स्वरूप से ही सत्य बनेगा, जे कर मेरी कल्पना ही सत्य कारण होवे, तब तो किसी पूर्वाचार्यों की अपेक्षा न रहेगी, तब तो जिसके मनमें जो अर्थ अच्छा लगे सो अर्थ कर लेवेगा । "
"इसी वास्ते मेरी ऐसी श्रद्धा है कि जो जैनमत में प्रामाणिक अरू पंचांगीकारक, आचार्य लिखे गये हैं, उनके अनुसार ही हमको कथन करना चाहिये, परन्तु स्वकपोल-कल्पित नहीं, जे कर कोई स्वकपोलकल्पित मानेगा वो जैनमती कदापि नहीं बन सकेगा अरू उसकी कल्पना भी सर्वथा सत्य नहीं होवेगी. '
વિચારો કે - આ રીતે સર્વથા,શ્રી સર્વજ્ઞદેવની આજ્ઞાના જ શરણે સમર્પિત થઈ ગયેલા પુણ્યપુરુષની છાયા લેવાની લાયકાત પણ એ આજના ઉચ્છંખલો ધરાવી શકે છે ખરા ? નહિ જ. તો પછી જે પુણ્યપુરુષ, પૂર્વના આજ્ઞાધર મહર્ષિઓ આગળ પોતાની બુદ્ધિને યત્કિંચિત્ માનનાર છે અને જે પુણ્યપુરુષ પોતાની બુદ્ધિને માત્ર એ આજ્ઞાધારી મહર્ષિઓની આજ્ઞાને આધીન બનાવવામાં જ જીવનશ્રેય સમજે છે, તે પુણ્યપુરુષનો આશરો લેવાનો દાવો તેવાઓ કઈ રીતે કરી શકે છે ? વિચારવામાં આવે તો ખુલ્લેખુલ્લું સમજી શકાય તેમ છે કે આંજનો કોઈ પણ ઉચ્છંખલ જમાનાવાદી કે જે આગમો, આગમોના રચિયતા મહાપુરુષો અને આગમવિહિત અનુષ્ઠાનોની અવગણના કરી, જમાનાના નામે નવો જ ધર્મ રચવાની અને જ્ઞાનપ્રચારના નામે આરંભાદિકને વધારનારી અનેક કુપ્રવૃત્તિઓને ચલાવવાની તથા ઉપકારના નામે શીલધર્મનો સંહાર કરવાની વાતો કરનારા આ પુણ્યપુરુષનો આશ્રય લેવાનો દાવો કોઈ પણ પ્રકારે કરી શકે તેમ નથી જ.
શું તે શિષ્ય છે કે શિષ્યાભાસો છે ?
આ કાળની બલિહારી તો એ છે કે - આજ્ઞા નહિ માનનારાઓ પણ પોતે