SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ ‘અંગારા’ તથા ‘ઇંદ્રજાળિયા' કહેનારાઓ, પરમ સત્યમાર્ગદર્શક શાસ્ત્રોને ‘ફતવા’ તરીકે ઓળખાવવા સાથે તેને બાળી મૂકવાની હિમાયત કરનારાઓ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં થતા લક્ષ્મીવ્યયને ‘ધુમાડા' તરીકે જાહેર કરનારાઓ, પોતાના સહાયકો, પ્રે૨કો અને સલાહકારો આદિ સાથે ખુલ્લેખુલ્લા બહાર આવી સજ્જનને શોભતી સભ્યતાપૂર્વક પોતાના કથનને સજ્જોની સભામાં સિદ્ધ કરી બતાવે. જેઓ જૈન કુલમાં જન્મીને, જૈનસમાજના માલ ખાઈને, જૈનસમાજના પૈસે ભણીને, જૈનસમાજના પૈસાથી જ ડીગ્રીધર થઈને અને સમાજના જ પૈસે ઊભા રહેતા થઈને, એ જ સમાજ જેને તારક માને છે તેવાં આગમોને, જૈનશાસનનો ઉદય કરવાના બહાને સળગાવી દેવાની વાતો કરે છે, તેઓમાં ખરેખર માણસાઈ નથી, એટલે સમજાવ્યા સમજે તેમ જ નથી. વધુમાં તેઓ લોકો સમક્ષ કહે છે કે ‘સુધારાના નામે અને સુધારકના નામે જે ટીકા થાય છે, તેથી અમને બહુ દુઃખ થાય છે !' એમને એમની જાત અને એમની વાત માટે એટલું દુઃખ થાય, તો અમારા નિર્દોષ તા૨ક માટે યથેચ્છપણે બેફામ લખવામાં આવે છે, એથી અમને કેટલું દુઃખ થતું હશે ? બાકી અમાંરો તો તેઓને દુઃખી કરવાનો એક લેશ પણ ઇરાદો નથી. અમારો ઇરાદો તો કેવળ શાસ્ત્રીય સત્યને પ્રકટ કરવાનો જ છે, એટલે એક પણ વાત યુક્તિપૂર્વક ખોટી પાડે, તો તેઓનું ડહાપણ ખરું, બાકી ગપ્પાં માર્યે તો કાંઈ જ વળે તેમ નથી. ૨૧૪ 214 સભા : આ તો સર્વજ્ઞનાં શાસ્ત્ર છે, માટે કાંઈ ચાલતું નથી; બાકી જરા પોલ હોત તો ક્યારનાયે ઉડાડી દેત. પોલવાળી વાતોને ઉડાડે એમાં તો આપણે સહમત છીએ. બાકી આ તો શ્રી સર્વજ્ઞદેવનાં તથા તે તારકની આજ્ઞા મુજબ જ ચાલનારાનાં શાસ્ત્ર છે, માટે એમાં ખામીની વાત કરનારાઓની જાતની જ ખામી છે, બીજું કાંઈ જ નથી. આ શાસનની તો ઉત્તમતા જ કોઈ અજબ કોટિની છે. પ્રભુમાર્ગમાં એક પણ અક્ષરને ઉત્થાપનારો આ શાસનમાં નિહ્નવ તરીકે જ પ્રસિદ્ધ થઈ જાય છે અને તેની આ શાસનમાં એક ફૂટી કોડી જેટલી પણ કિંમત નથી રહેતી. કેટલી અધમતા ? પરમ ઉપકારી પુણ્યપુરુષોના નિષેધની અવગણના કરીને ઇચ્છા મુજબ આગમોને વાંચનારા પૈકીનો એક પણ સન્માર્ગમાં રહી શક્યો નથી. વાત પણ ખરી છે કે - ઉન્માર્ગે ચાલનારા સન્માર્ગે શી રીતે આવી શકે કે ટકી શકે ? ઇરાદાપૂર્વક ઉન્માર્ગે ચાલનારા સન્માર્ગમાં ન ટકી શકે, એ તો નિશ્ચિત જ છે. અવિધિથી ખાધેલી માત્રા ન પચે, તો જ્ઞાનીપુરુષોએ કરેલા નિષેધની અવગણના
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy