________________
205
– ૧૭ઃ સંઘ કોની પડખે રહે ? - 17 — ૨૦૫ સમજે ? એ લોકો સંયમધર થનારની પરીક્ષા લેવા માગે છે ! પરીક્ષક ડીગ્રીધર હોય કે વગર ડીગ્રીનો ? ડીગ્રીધરને પરીક્ષા દેવાય કે રખડતાને ? નાલાયક પરીક્ષક આવે તો વિદ્યાર્થી પણ કહી દે કે – “એવાને પરીક્ષા આપીને આબરૂ બગાડવી નથી.” જેને વૈરાગ્ય પ્રત્યે સદ્ભાવ નથી, તે વૈરાગ્યને પીછાણે શી રીતે ? જે પોતે સંસારને સારો માને, જેને વૈરાગ્ય ન ગમે, તે વિરાગીની પરીક્ષા શી રીતે કરી શકે ? અરે ! ન પરણનારને જે પરણાવવાનો કાયદો કરવા માગે છે, એ દીક્ષા લેનારની પરીક્ષા શી રીતે કરી શકે ?
આવા નાલાયકોની વિચારસરણી આજે કુળવાન વિધવાઓને પણ મૂંઝવે છે. એ વિધવાઓ તો કહે છે કે - એ નાલાયકો અમને કેમ બદનામ કરે છે? એમના ઘરમાં મા-બેન વિધવા હોય અને તેમની ભાવના જો પરણવાની થઈ હોય, તો તે એમને નામે વાત કરે, પણ અમારા બધાના નામે કેમ વાત કરે છે ? કોઈ કુલવતી વિધવા બહેનોએ એમને અરજી કરી છે ? ના, તો પછી નાહકના એ નફરખંદાઓ કૂદાકૂદ કેમ કરે છે ?” આ રીતે ઘણી કુલવાન બાઈઓનો એમની સામે પોકાર છે. કઈ વિધવા એમને કહેવા બહાર આવી ? અને કોઈ આવે તો ભલે એ એને ફાવે તેમ કરે. તેને રોકે છે કોણ ? પણ જેઓને ભાવના જ એવી ન હોય, તેઓના નામે હિલચાલ શા માટે ? - મૂળચંદભાઈએ જામનગરની સંઘને રોકડવું પરખાવ્યું હતું કે, સંઘની આજ્ઞા માનવા તૈયાર છીએ, પણ જે શાસ્ત્રને માને તે સંઘ.”
‘ત્યારે પેલાઓએ કહ્યું કે – “શાસ્ત્રને આઘાં મૂકો !” *. મૂળચંદભાઈએ તો પણ એ જ જણાવ્યું કે - “શાસનને માને તે જ સંઘ. : મૂળચંદભાઈને આવું કહેવાનો હક્ક શું ન હતો ? હતો જ. પણ ‘શાસ્ત્રને આઘાં મૂકો ! એ કહેવાનો હક્ક જૈન કહેવરાવનારાઓને કોણે આપ્યો ? એક સમુદાય કહે છે - - “અમારી રજા વિના દીક્ષા ન લેવી' તો તે વાતને કંઈ બધા ઓછી જ માને ? શાહુકાર કદી કહે કે - “મારી સલાહથી વેપાર કરવો’ તો તો બધા માને. પણ શાહુકારી વિનાનો કહે તો કોણ માને ?
સભાઃ જેને દેવાળું કાઢવું હોય તે !
સંયમ લેનારની પરીક્ષા લેનાર કોણ હોય ? વૈરાગ્ય વિનાનાઓ પાસે કોઈ પરીક્ષા આપવા જાય, તો તેઓ કેવું સર્ટિફિકેટ આપે ?
સભા: ત્યાં તો કોઈ જાય જ નહિ ને !