________________
૨૦૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
24
તો માનીએ છીએ કે અયોગ્ય કાર્ય કરતાં યોગ્ય આત્માને જરૂર અટકાવાય; પણ આ તો એમની નજરે વાત કરીએ છીએ કે - “બીજાની ચીજ ઝૂંટવવાનો અધિકાર નથી, તેમ જ બીજાને એક ચીજ ન ખાવી હોય તો પરાણે ખવરાવવાનો પણ અધિકાર નથી.” ન ખાવી હોય એના ગળામાં ન નખાય.
અહીં તો સાધુપણા વગેરેનો ઉપદેશ દેવાય; સર્વવિરતિ, દેશવિરતિ, સમ્યકત્વ કે માર્ગાનુસારીપણું, વગેરે ધર્મનો ઉપદેશ અપાય, જેને રૂચે એ લે, ન રૂચે તો એની મરજી પણ જેને એ ન રૂચે તેને બીજાને ગાળો દેવાનો અધિકાર નથી. દેવ, ગુરુ, ધર્મને જેને માનવા હોય તે માને, જેને ન માનવા હોય તે ન માને, એ એમની મરજી પણ માનનારની આડે દીવાલ ઊભી કરવાનો શો હક્ક છે ? એ લોકો પોતાના ખોટા વિચારનો પ્રચાર કરે, તો સાચા વિચારવાળા પોતાના વિચાર બહાર મૂકે. એમાં અટકાયત શી ? એમાં ગભરામણ થય એનું કારણ શું? જો એ બધું થતું હોય, તો એ લોકો વિચાર-સ્વાતંત્ર્યના જ ઉપાસકો નથી. પણ વર્તનસ્વાતંત્ર્યના ઉપાસકો છે; એ વાત નિશ્ચિત થાય છે. છતાં અમારે “વિચારસ્વાતંત્ર સામે વાંધો નથી પણ વર્તનસ્વાતંત્ર્ય સામે વાંધો છે' આમ કહેવાની મૂર્ખાઈ કરવી, એ કેમ નભે ? કહેવું જ જોઈએ કે ન જ નભે. સંયમના અર્થીના પરીક્ષક કોણ?
સમાજમાં પોતાને વકીલ, પ્રોફેસર કે સૉલિસિટર કહેવરાવનારા એટલી સાદી વાત પણ ન સમજે, એ કેવી આશ્ચર્યજનક બીના છે ? લખતી વખતે થોડું પણ સમજવા તો થોભવું જોઈએ કે નહિ ? વિચારસ્વાતંત્ર્ય તથા વર્તનસ્વાતંત્ર્ય કોને કહેવાય ? એ સમજ્યા વિના જ લખવું, એ ડહાપણ તો નથી જ. ડાહ્યા હોય તો દલીલપૂર્વક લખે, સામે આવે પણ એ તો કરવું નથી. અયોગ્ય વિચાર
જ્યારે એ પ્રચારે ત્યારે સુયોગ્ય વિચારવાળાની પણ ફરજ છે કે “શાસ્ત્રીય વિચાર બહાર મૂકી, એવા અયોગ્ય વિચારથી જનતાને થતી હાનિ અટકાવવી.” એક ટોળું ઠરાવ કરે કે “અઢાર વર્ષની વય સુધી દીક્ષા ન દેવાય” ત્યારે શાસ્ત્ર કહે છે કે – “દઈ શકાય.” અયોગ્ય વિચાર જાહેરમાં મુકાય તો સુંદર વિચાર જાહેરમાં કેમ ન મુકાય ? એ સંયમ લેનારને અટકાવવા મહેનત કરવાનો હક્ક લઈ બેઠા, તો તમે સંયમ લેનારને સહાય કરવાનો હક્ક ધરાવો છો ને ! આટલો કાયદો પણ શું એ ન સમજે ?
જ્યાંની ડીગ્રી છે, ત્યાં જો એ લોકો આવી વાતો ન કરી શકે, તો અહીં વગર ડીગ્રીએ આવી વાતો કેમ કરતા હશે ? એ લોકો દીક્ષા લેનારની કાનપટ્ટી પકડવા જાય, તો તમે એમને તેમ કરતાં અટકાવી શકો છો, આટલું પણ શું ડીગ્રીધરો ન