________________
203
૧૭ : સંઘ કોની પડખે રહે ? - 17
-
૨૦૩
વિચારસ્વાતંત્ર્ય કે વર્તનસ્વાતંત્ર્ય ?
-
આજે હવે કહેવાય છે કે - ‘અમારે વિચારસ્વાતંત્ર્ય સામે વાંધો નથી, પણ વર્તમાન સ્વાતંત્ર્ય સામે વાંધો છે.’ આના આ જ લોકો તરફથી પહેલી વાત એમ થતી હતી કે – ‘વિચારભેદના અંગે સંઘબહાર ન મુકાય. ત્યારે પ્રશ્ન એ થયો કે ‘અમુક ગામોમાં એમ કેમ થયું ?' એના બચાવમાં કહે છે કે - ‘વર્તનસ્વાતંત્ર્ય સામે વાંધો છે.’ આપણે બધી વાત હવે અત્યારે એમની જ દૃષ્ટિએ કરીએ છીએ, તે ખ્યાલમાં રાખો. આ વાતથી એમની જ દૃષ્ટિએ એ સાબિત થાય છે કે ‘વિચારીને અમલમાં મૂકે તેને સંઘબહાર મુકાય.’ આ વાત એ કબૂલ રાખે છે. હવે એ બોલ્યા એટલું પાળે, તો તો કહી શકાય કે-એ એટલી દૃષ્ટિએ પણ સજ્જન કોટિના માનવી છે : એટલી પણ સભ્યતા એમનામાં આવે તો જરૂર ખુશી થવું જોઈએ. વિચાર ક્યાં સુધી કહેવાય ? હૈયે હોય ત્યાં સુધી. હોઠે આવે, બહાર આવે એટલે શું થયું ? પછી તો થયું વર્તન. એ બધા લખનારા એટલા તો ડાહ્યા છે કે - આટલું પણ નથી સમજી શકતા ? પોતાના વિચારોને જણાવવા માટે અને એ વિચારોનો જનતામાં પ્રચાર કરવાને માટે લેખો લખે એ શું અમલ નથી ? પોતાના વિચારનો અમલ કરાવવા રાજ્યોને અરજી કરે, એ શું વર્તન નથી ?
પોતાનો એવો વિચાર હોય કે - આઠ વર્ષનાને દીક્ષા ન અપાય તો ભલે પોતે ન લે, અઢાર વર્ષ પહેલાં દીક્ષા ન,અપાય એવો વિચાર તેમનો હોય, તો ભલે પોતે એ વિચાર ધરાવે, પણ આ તો બીજાને અટકાવવા પ્રયત્ન કરે, એટલે તો એ વર્તન જ થયું; અર્થાત એમણે પણ પોતાના વિચારને વર્તનમાં મૂક્યો તો તેઓને શ્રી સંધ, સંઘબહાર મૂકે, તેમાં કાંઈ પણ વાંધો છે ? એ પોતાના વિચારના પ્રચારને વર્તન ન ગણે અને બીજાઓ પોતાના વિચારને પ્રચારે એને વર્તન ગણી પોતાના ટોળાથી અલગ કરે, એ કઈ જાતનો ન્યાય ? એવા વિલક્ષણ ભેજાંવાળાઓને શ્રીસંઘ શાસ્ત્રાજ્ઞાનુસાર પોતાના વ્યવહારથી દૂર કરી શકે છે.
-સભા જૈનદર્શનમાં કલ્પિત વિચારસ્વાતંત્ર્યની પણ છૂટ ક્યાં છે ?
નથી જ, પણ હું કહી ગયો છું કે આ વાત આપણે એમની જ દૃષ્ટિએ કરી રહ્યા છીએ, એટલે એ પ્રશ્ન ઊઠી શકતો નથી. ઘરમાં પચ્ચીસ ચીજ ખાવાની કરી હોય, પોતે ખાવા બેઠો હોય અને પોતાને એક ચીજ ન ખાવી હોય તો ન ખાય પણ બીજાને ન ખાવા દેવાનો અગર તો તે ચીજ ઝૂંટવી લેવાનો તેને શો અધિકાર છે ?
સભા : કોઈ ખરાબ ચીજ ખાતો હોય તો ન પણ ખાવા દેવાય ને ? વળી તમે ભૂલ્યા. હું કહું છું કે - આ વાત એમની દૃષ્ટિએ કરું છું. આપણે