________________
૨૦૨ - સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
202 અગર પગ જ કહે તો ખોટું જે અંશો માનવા જેવા હોય, તે મૂકી દઈને એક એક અંશ માની બાકીનાની અવગણના કરે, તે દુર્નય, એ દુર્નયોરૂપ ગ્રહો શ્રી જિનેશ્વરદેવનો અનેકાંત મતરૂપ સૂર્ય ઉદય પામે ત્યારે, આપોઆપ જ નાશ. પામે; સૂર્યોદય સમયે એ ગ્રહો જ આપોઆપ અદશ્ય થઈ જાય છે. વાંધો તો દુરાગ્રહની સાથે છે:
આ તો દર્શનની વાતો છે કે જેમાં અંશે પણ સત્ય છે; આજનાઓમાં તો એ પણ નથી. જેટલી જેટલી મનમાં ઉઠાવેલી માન્યતાઓ, મનઃકલ્પિત વાતો, તેનો શ્રી જિનેશ્વરદેવના શાસનમાં ઇન્કાર છે. શ્રી જિનેશ્વરદેવના શાસનરૂપ સૂર્ય ઉદય પામે ત્યારે આ ગ્રહો જીવતાજાગતા ન રહે. છતાંય નકલી માલ બહુ ઝળકે. સોનાની થાળી કરતાં કાંસાની થાળી બહુ ખખડે. ખખડાટ ઉપર કિંમત નથી. લોક ખખડાટથી ભેગું ભલે થાય, પણ બેમાંથી લે તો સોનાની જ થાળી. બીજામાં કાંતિ જ નથી એ કહેવાનો હેતુ નથી, પણ અનેકાન્ત નયરૂપ સૂર્ય પાસે દુર્નયોરૂપ ગ્રહો પ્રભારહિત જ બની જાય છે. ગ્રહોના તેજનો નાશ કરવા જેમ સૂર્ય સમર્થ છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્ય પણ દુર્નયરૂપ ગ્રહોના તેજને નષ્ટ કરવા સમર્થ છે.
શ્રીસંઘ જ્યાં ત્યાં ભળે ખરો ? નહિ જ. બીજી વાતો આડંબરથી સારી દેખાય તોયે તે તરફ શ્રીસંઘ ન ઝૂકે, કારણ કે-“સૂર્ય ન હોય ત્યાં સુધી ગ્રહો ઝળકે, પણ સૂર્યોદય પછી એ ગ્રહોની પ્રભા નાશ જ પામવાની છે.' એ વાતનો તેને પૂરેપૂરો નિશ્ચય છે.
આજ તો કહે છે કે - “આમ એકની એક વાત આ જમાનામાં ચાલે ?” હું કહું છું કે “ગમે તે જમાનામાં પણ સત્ય વસ્તુનો સ્વીકાર કર્યા વિના ચાલે તેમ નથી.” પહેલે ગુણઠાણે પણ ભદ્રિકત્વ આદિ ગુણોને ધરનારા ગુણી આત્માઓની જ ખાસ ગણતરી થાય. જ્યાં ભદ્રિકત્વ આદિ નથી, ત્યાં તો પહેલું ગુણસ્થાનક પણ નામનું જ. બાકી એ આત્માઓની ખાસ ગણતરી નથી. પહેલે ગુણઠાણે મિથ્યાષ્ટિ છે, તે પણ જો દુરાગ્રહી ન હોય તો ઘણો સારો. આજે તો એવો દુરાગ્રહ છે કે “આમ થાય જ નહિ.' લડત તો ખામી દૂર કરવાની હોય, ખામીના સંશોધનની હોય, ખામી દૂર કરવા માટે ઘટતા ઇલાજો લેવાની હોય અને એમ થાય તો એ સુનયમાં આવે. ખામી દૂર કરવા યોગ્ય માર્ગો ઘડે તો તે ઊંચી કોટિના ગણાય; પણ આ તો દોષોના નામે સત્ય વસ્તુનો નાશ કરવાને દુરાગ્રહી બન્યા છે, ત્યાં જ મોટો વાંધો છે. જે પોતાને સંઘ કહેવરાવવા માગે, તેણે ખોટી વાતથી તો દૂર જ રહેવું જોઈએ.