SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ 199 - ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16 - ૧૯૯ સર્વકર્મોનો ક્ષય કરીને સિદ્ધિપદે પહોંચી ગયાં. ભરત મહારાજાને પણ રીસાભુવનમાં કેવલજ્ઞાન થયું, તે પણ વીંટી પડી તો ! ચાર નિક્ષેપા વિના જૈનશાસન નહિ? ભાવની પ્રાપ્તિમાં દ્રવ્યની પ્રધાનતા છે. વિધિવિધાનના મતભેદ ચાલે, પણ સૈદ્ધાંતિક મતભેદમાં વાંધો ન ચાલે. અમુક સંપ્રદાય સાથે મેળ તો નથી થતો, એનું કારણ એ કે ત્યાં સૈદ્ધાંતિક ભેદ છે. એક સિદ્ધાંત ફેરવવા કેટલું ફેરવવું પડે છે ? કહે છે કે “વસ્ત્રધારીને ચારિત્ર ન હોય.” આ સિદ્ધાંતભેદ. આપણે એમ નથી કહેતા. એ તો ત્યાં સુધી કહે છે કે “એક સૂતરનો તંતુ હોય ત્યાં સુધી કેવલજ્ઞાન ન થાય.” આ વાત આપણે નથી માનતા. કેવલજ્ઞાનને સૂતરનો તંતુ બાધ કરી શકે, એ આપણે નથી માનતા. કપડાં હોય ત્યાં કેવલજ્ઞાન નહિ એ. વાતને સિદ્ધ કરવા “સ્ત્રીને મોક્ષ નહિ' એમ લખવું પડ્યું અને “શ્રી મલ્લીનાથ સ્વામીને મલ્લનાથ કહેવા પડ્યા !! જ્યાં સિદ્ધાંતનો ભેદ થાય, ત્યાં બધું જ ફેરવવું પડે છે. જેઓ મૂર્તિ નથી માનતા, તેઓમાં આગમનું બહુમાન પણ નથી; આગમની ભક્તિ કે આશાતનાને પણ તેઓ માનતા નથી, કારણ કે તેઓ આગમને જડ માને છે. પણ આપણે પૂછીએ છીએ કે “એ જડને વંચાય શા માટે ?” આનો ઉત્તર તેઓ રીતસર નહિ આપી શકે. એ લોકો સ્થાપના ન માને, પણ ક્રિયા બધી ઈશાન ખૂણામાં જ કરે, કેમકે-શ્રી સીમંધરસ્વામી ભગવાન એ તરફ છે. આપણે કહીએ છીએ કે “ત્યાં તો ખૂણો છે, ત્યાં ક્યાં શ્રી સીમંધર ભગવાન છે ?” જ્યારે ખૂણા તરફ નજર રખાય તો મૂર્તિ તરફ રાખવી, એમાં ખોટું શું ? મૂર્તિ નજર સન્મુખ રાખો, તો આંખે તો આવે? પણ ખૂણામાં તો કાં તો ભીંત અગર કાં તો પોલાણ દેખાય ! છતાં ખૂબી તો એ છે કે ગુરુની પાટને પગે લાગે, એ પાટને પગ પણ ન અડવા દે. ગુરુની પાટ પૂજ્ય અને ભગવાનની આકૃતિ પૂજ્ય નહિ, એ કેવી ખૂબી? પૂછે છે કે પથ્થરની ગાય દૂધ દે ?' ન દે. તો ભગવાનનું નામ પણ શા માટે લ્યો છો ? વિતંડાવાદ મૂકી વસ્તુ સમજવાની ઇચ્છા થાય, તો બધું જ સમજાય. જેમ ચાર પાયા વિના પલંગ નહિ, ચાર થાંભલા વિના ઇમારત નહિ, તેમ ચાર નિક્ષેપા વિના જૈનશાસન નહિ. જે એમાંથી એક પણ નિપાનું ખંડન કરે તે આપોઆપ જૈનશાસનથી બહાર થાય છે. એની સાથે આપણો મેળ ન જ મળે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy