________________
૧૯૮
સંઘ સ્વરૂ૫ દર્શન ભાગ-૧ – બટનમાં રાખે અને વારંવાર જોયા કરે; સ્ત્રી ઘરમાં છે, પછી વળી છાતીએ લટકાવવાની શી જરૂર ? ત્યાં તો કહે કે-“એને જોયા વિના ઠંડક વળતી નથી. સ્ત્રીની મૂર્તિમાં મૂંઝાયેલાઓને કહેવાનું કે “તને વીતરાગની મૂર્તિ ન ગમે તો ન માન, તને ખટકે તો ન માન, પણ જે કોઈ મૂર્તિને માને એને ના કહેવાનોમૂર્તિને કે મૂર્તિના માનનારને ગાળો દેવાનો તને શો અધિકાર છે ? મૂર્તિને પથરા કહેવાનો શો અધિકાર છે ?”
પથરા પાછળ તો દીવાના બન્યા છો. હીરા, માણેક, પન્ના, એ પથરા છે ને ? ખાઓ તો પ્રાણ લે એવા ! એની પાછળ તો ભાગાભાગ કરો છો. એની પાછળ નાચનાર-કૂદનારને શ્રી વીતરાગની મૂર્તિ જોઈને દુઃખ થાય એનું કારણ શું એ વિચારો. ભગવાન ગયા પછી ભગવાનની વાણીને માને, તો પછી મૂર્તિને માનવામાં શી હરકત ? મુદ્દો એ છે કે ના કહી તે હા કહેવાય ? હઠીલા અને કદાગ્રહીને પહોંચાય ?સો વાત કહો તો પણ ઉહું કરે એને પહોંચાય ? આજે તો દલીલ કરે છે કે – “પથરામાં વીતરાગતા ક્યાંથી આવી ?” તો “જડ એવાં', અક્ષરમાં જ્ઞાન ક્યાંથી ?” ભાવનાથી જ ચાલે તો ખાવાનું શું કામ ? ભાવથી પેટ ભરો ને ! અનાજવાળાને કહો કે “ભાવથી માની લે કે પૈસા મળ્યા.” એ પણ કહે કે “તમે પણ ભાવથી માનો કે અનાજ મળ્યું.' સ્ત્રી પણ કહે કે – “ભાવથી માની લો કે ચૂલો સળગ્યો-અનાજ પાક્યું અને તમે પણ ભાવથી જમ્યા માનીને ઓડકાર ખાઓને !” પણ ત્યાં તો બધું જ જોઈએ. ત્યાં કોરા ભાવથી ન ચાલે અને આત્મકલ્યાણનાં સાધનોને ઉડાડી દેવાની વાતો કરવી, એ અજ્ઞાનતા નહિ તો બીજું શું છે ?
અનાદિ કાળથી વળગેલા કર્મતાપથી આત્માને બચાવવા શ્રી વીતરાગદેવની મૂર્તિની તો અતિશય જરૂર છે. વીતરાગની મૂર્તિ આત્મભાવને વિકસિત કરનારી છે. ગમે તેવો પાપી જો રોજ ભાવથી પ્રભુમૂર્તિનાં દર્શન કરે, તો મહિને છ મહિને પણ એનું હૈયું જરૂર સુધરે, અભવ્યને પણ ભગવાનના સમવસરણને જોઈને, એમની ઋદ્ધિસિદ્ધિ જોઈને, સંયમ લેવાનું મન થાય છે અને એ માટે તો સંયમ લઈને પાળે છે. અભવ્યને આ થાય, તો ભવ્યને કેવો લાભ થાય ? મૂર્તિ એ તો મોક્ષની કૃતિ છે. દ્રવ્ય વિના ભાવની પ્રાપ્તિ કવચિત્ થાય છે. તે છતાં પણ હું તો ત્યાં સુધી કહું છું કે - જેને જેને એ રીતે ભાવપ્રાપ્તિ થઈ છે તેને તેને પણ દ્રવ્યાલંબન મળ્યું છે. મરૂદેવીમાતાએ પણ સમવસરણ જોયું ત્યારે ચોંક્યાં કે - “આ શું ? આ અવલંબનથી તેમની ભાવના પલટાઈ, પુત્રનો રાગ ગયો, ક્ષપકશ્રેણી માંડીને કેવળજ્ઞાન પામ્યાં, અંતર્મુહૂર્તકાળમાં જ