________________
127 -- - ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16 – – ૧૯૭ વૈરાગ્ય થાય. ઝાડ વગેરેથી પણ વૈરાગ્ય થાય, એને પણ પૂર્વે મૂર્તિપૂજા વગેરે ધર્મક્રિયાની આરાધના કરી હોય, જેથી કોઈ વખત એ નિમિત્તથી પણ તાજું થાય પણ ઝાડ વગેરેમાં એ ગુણ નથી. એ કંઈ એનું કારણ નથી. “ચંડકોશીઆએ ભગવાનને પગ ઉપર બચકું ભર્યું તોયે તે દેવલોકમાં ગયો, એથી ભગવાનને બચકાં ભરવાથી દેવલોક મળે” એમ કંઈ કહેવાય ? નહિ જ. કારણ કે ચંડકોશીઓ જે દેવલોકને પામ્યો છે તો ભગવાન અડગ હતા, ચાલે નહિ તેવા હતા અને અતિશયવંત હતા એથી જ તે બોધ પામ્યો; એ ડસ્સો છતાં ભગવાન શ્રી મહાવીર પડ્યા નહિ, ન પડ્યા એટલે એણે પોતે જ્યાં વસ્યો ત્યાં જોયું તો લોહી લાલને બદલે ધોળું નીકળ્યું હતું. એટલે “આ નવું શું ?' એમ એ ચોંક્યો ત્યારે અવસર જોઈને પ્રભુએ “બુજ્જ બુજ્જ ચંડકોશીયા” એમ કહ્યું અને તરત એને યાદ આવ્યું કે “આ તો શ્રી અત્ દેવ છે અને એ પછી પૂર્વભવની બધી કાર્યવાહી તેને આ નિમિત્તથી યાદ આવી. પોતાની ભૂલ સમજાઈ, અને એ ભૂલ સુધારવાનો એણે નિર્ણય કર્યો. એટલું જ નહિ પરંતુ તેણે તે પછી પોતાનું મુખ દરમાં જ ઘાલી રાખ્યું કે જેથી કોઈનું જરા પણ અહિત ન થાય અને તે વખતે કીડીઓ દ્વારા ઉત્પન્ન કરાયેલું અસહ્ય કષ્ટ સમભાવે સહન કર્યું. અને તેમાં પણ તેણે સમાધિભાવ જાળવી રાખ્યો. આ સમાધિભાવના પ્રભાવથી જ તે દેવલોકમાં ગયો. મૂર્તિ, એ મોક્ષની કૃતિ છે? - એવી જ રીતે શ્રી નમિરાજર્ષિને કંકણના કારણે વૈરાગ્ય થયો હતો, માટે કંકણ વૈરાગ્યનું જ કારણ છે – એમ કહેવાય ખરું ? જો એમ હોય તો ઘેર જઈ એ પ્રયોગ કરીને જલદી અહીં આવી જાઓ ! જો એમ કંકણથી વિરાગી થતા હોત, તો તો આજે વિરાગીઓનો પાર પણ ન હોત. કંકણમાં અને તેના અવાજમાં તો સારી દુનિયા મૂંઝાઈ ગઈ છે અને પોતાની જાતને પણ ભૂલી ગઈ છે. જેઓ કંકણમાં મૂંઝાયા હોય તેઓ શ્રી વીતરાગની મૂર્તિ વગર વીતરાગતા કેમ પામે ? આજે તો મુદ્દો એમ છે કે – વીતરાગતાની સાથે વૈર જન્મે છે, માટે જ શ્રી વીતરાગની મૂર્તિ નથી ગમતી. ઘર ગમે, બંગલા-બગીચા ગમે, હીરામાણેક-પન્ના ગમે, નાટક-ચેટક-સિનેમા ગમે, દુનિયાની બધી ચીજો ગમે, એને શ્રી વીતરાગની મૂર્તિ કેમ ન ગમે ? બાપની કે માની મૂર્તિને (ફોટો) જોઈને નાચે-કૂદ, ગાંડોઘેલો થાય, એને શ્રી જિનેશ્વરદેવની મૂર્તિ કેમ ખટકે ? સહીથી લાખોનો વહીવટ કરે, એને જિનની મૂર્તિ ન ગમે ? ન્યાયાધીશની કલમથી કૈક છૂટે અને કંક કેદમાં જાય, એ તો જાણો છો ને ? સ્ત્રીની મૂર્તિને (ફોટાને) તો