________________
૧૯૪
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ યુગલ શસ્ત્રના સંબંધથી રહિત છે, તે કારણથી વીતરાગ એવો તું જ જગતમાં સાચો દેવ છે.”
આ રીતે એ પ્રભુના એક એક અંગની વિચારણાથી વિતરાગતાનો ભાસ અવશ્યમેવ થાય છે અને પરિણામે આત્મા રાગાદિકની ક્રિયાઓથી અલિપ્ત રહી, વીતરાગભાવનો આવિર્ભાવ કરનારી ક્રિયાઓના અમલથી વીતરાગ બની, સિદ્ધિપદનો ભોક્તા બની શકે છે. પ્રભુને જે જે ચીજ ચડાવવામાં આવે છે, એ કાંઈ પ્રભુ માગતા નથી, પણ આપણા મમત્વના ત્યાગ માટે એ ક્રિયા છે. શ્રાવક પોતાની ભાવના આ રીતે દ્રવ્યપૂજા દ્વારા કેળવે, તો એ મમત્વના ત્યાગની સ્થિતિને મેળવે.
કેટલાક કહે છે કે – “ભાવમાં દ્રવ્યની શી જરૂર ?' પણ દ્રવ્ય એ ભાવના ખ્યાલ માટે છે. દ્રવ્યમાં જો ભાવને પેદા કરવાની શક્તિ ન હોત, તો તો દ્રવ્યને માનત જ નહિ. મૂર્તિ, એ વીતરાગભાવની દ્યોતક લાગે છે, માટે તો મૂર્તિને સુંદર બનાવવાની વિધિ છે. એ વિધિ માટેના ધનના વ્યયમાં જરાય ઓછપ ન રખાય. આવી મૂર્તિની સામે બેસીને એના ગુણોને યાદ કરે; અને એ ગુણોનું જો ધ્યાન ચાલે તો ત્યાં સાક્ષાત્ અરિહંત ભગવાનનો ભાસ થાય. આથી તો કહેવાય
“સ્વામીગુણ ઓળખી સ્વામીને જે ભજે, દર્શનશુદ્ધતા તેહ પામે; જ્ઞાન-ચારિત્ર-તપ-વીર્ય-ઉલ્લાસથી, કર્મજીવી વસે મુક્તિધામ : તારહો.”
જેમ નકશામાં એ ગુણ છે – આખી ભૂગોળને યાદ કરાવે, તેમ શુદ્ધ દ્રવ્ય એ શુદ્ધ ભાવનું કારણ છે, એટલે કે – શુદ્ધ ભાવનું એ ભાન કરાવે છે. સાધન વિના સાધ્યસિદ્ધિ થાય જ નહિ?
શુદ્ધ દ્રવ્યની વધુ સેવા, એ ભાવને પ્રગટ કરવાનું અને ટકાવી રાખવાનું કારણ છે. શુદ્ધ દ્રવ્યનો વધુ સહવાસ કરો, એનું ખૂબ ચિંતન કરો અને ભાવમાં તન્મય બનો. જ્યારે ભાવમય થશો ત્યારે દ્રવ્યની આવશ્યકતા આપોઆપ દૂર થઈ જશે. “અમુક ગાથી ક્યાં સુધી ગોખવાની ? એમાં રહેલો ભાવ હૃદયમાં રમી જાય ત્યાં સુધી ! ભાવ ન રમે ત્યાં સુધી ગાથા ગોખવી પડે, ધારવી પડે, પાઠ કરવો પડે, સંભારવું પડે, વગેરે કરવા યોગ્ય બધું જ કરવું પડે.
દ્રવ્યમાં તલ્લીન બની ભાવમય બનો; એ બન્યા પછી જ એ છોડાય. પછી તો એ છોડવું નહિ પડે પણ આપોઆપ છૂટી જશે. સૂત્ર કાંઈ ગળે નથી પડતું. ઉપન્નઈ વા, વિગમેઈ વા. ધૂઈ વા.” કહેવાથી શું થયું ? એ ત્રિપદીએ તો