________________
૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16
વિશિષ્ટતાની ઝાંખી લાવવા માટે એમની મૂર્તિ પણ એવી વિશિષ્ટ પ્રકારની બનાવવાની હોય છે.
193
૧૯૩
ઘણા કહે છે કે - ‘પ્રભુની મૂર્તિની બ જ પ્રકારની આકૃતિ કેમ ? અનેક પ્રકારની કેમ નહિ ?’ યોગનિરોધ સ્વરૂપ ધ્યાનાવસ્થાથી મુક્તિ પામતી વખતે પ્રભુને બે જ આસન હોય. કાં પદ્માસન હોય અગર કાયોત્સર્ગાવસ્થા હોય. આ બે અવસ્થામાં જ અરિહંતો મુક્તિએ જાય. અને સિદ્ધિસ્થાનમાં પણ એ જ અવસ્થામાં આત્મપ્રદેશ ગોઠવાય છે. માટે તો નિરાકારની પણ સાકાર મૂર્તિ છે. એ આકાર કેવળજ્ઞાનીને પ્રત્યક્ષ છે.
દ્રવ્ય, એ ભાવનું કારણ છે.
આ મૂર્તિ આગળ જે જે ક્રિયાઓ થાય છે, એ વિધાનોનો હેતુ એક જ છે કે-આત્મા ઉપશમભાવને પામે. મૂર્તિને જોઈને આત્મસ્વરૂપનો ખ્યાલ તથા આત્મા રાગભાવથી વિરાગ ભાવ તરફ ઢળે એ હેતુ છે. પ્રભુના અંગનો સ્પર્શ, પ્રભુના અંગ તથા પોતાના અંગ વચ્ચેનો તફાવત જાણવા માટે છે. એમના અંગે શી કાર્યવાહી કરી, અને આ પામરના અંગે શી શી કાર્યવાહી કરી, પ્રભુનાં ચક્ષુએ શું કામ કર્યું ? પ્રભુના પગ શા માટે ચાલ્યા અને આ પગ શા શા માટે ચાલે છે ? પ્રભુના હાથે કઈ કઈ વસ્તુના દાન દીધાં અને આ પામર હાથે શી શી ક્રિયાઓ કરી ? અખંડિત નાસિકા દ્વારા પ્રભુએ શું કર્યું અને આ પામર નાસિકાએ શું કર્યું ? વર્ષો સુધી પ્રહરના પ્રહર પ્રભુ શું બોલ્યા અને પોતે શું બોલે છે ? પ્રભુની રસનાએ શું કર્યું અને આ પામર રસના શું કરે છે ? એ તફાવત જાણવા માટે પ્રભુના અંગનો સ્પર્શ, પૂજન વગેરે વિધાનો છે. આ વાત યાદ નથી રહેતી માટે રોજ આ ધર્મક્રિયાનું વિધાન છે.
આખી ભૂગોળ પણ નકશાથી તાજી થાય છે. ભૂગોળનાં પાનાં તો બંધ હોય; પણ નકશો જોતાં તરત બધું યાદ આવે, તો વીતરાગની મૂર્તિ જોવાથી વીતરાગતાનો ભાસ કેમ ન થાય ? અવશ્ય થાય જ. પ્રભુની સ્તુતિમાં એક કવિવર કહે છે કે –
“હે પ્રભો ! જે કારણથી તારું દૃષ્ટિયુગલ પ્રશમરસમાં નિમગ્ન છે, મુખકમલ પ્રસન્ન છે, તારો ખોળો કામિનીના સંગથી શૂન્ય છે અને હસ્ત
" प्रशमरसनिमग्नं दृष्टियुग्मं प्रसन्नं, वदनकमलमड्ङ्कः कामिनीसङ्गशून्यः । करयुगमपि यत्ते शस्त्रसम्बन्धवन्ध्यं, તલસ નાતિ દેવો, વીતરાસ્ત્વમેવ ।।"