________________
૧૯૨
- સંઘ સ્વરૂપે દર્શન ભાગ-૧ – – 182 સારું મંદિર દેખીને - “આવા સારા મકાનમાં બેસે છે એ પૂજ્ય શાના ?” એવું કોઈને નથી થતું, પણ “ભગવાનના કેવા ભક્ત છે, કે જે ભક્તિ માટે લક્ષ્મીની મૂર્છા છોડીને આટલો બધો વ્યય કરે છે, કે જેનો સુમાર નહિ ! આ ભાવના તો થાય છે જ.
વીતરાગતાનો આદર્શ ભુલાય એવી એક પણ વસ્તુ રાખે, એવા શાસ્ત્રકાર ગાંડા નથી. કહી દીધું કે “એની એ જ મૂર્તિ ને તલવાર લટકાંડાય તો નંમનાય, એ જ મૂર્તિના હાથમાં માળા અપાય તો ન મનાય'- કેમ કે વિરુદ્ધ ભાવને પેદા કરનારી છે. વીતરાગતામાં બાધ કરનારી બધી ચીજને શાસ્ત્રકારે કાઢી નાખી. બાકી વિહિત કરેલી દ્રવ્યપૂજાની સામગ્રી તો આત્માને આકર્ષણ કરનારી છે. દ્રવ્યપૂજનની સામગ્રીમાં જેમ વસ્તુ ઊંચી તેમ ભાવની વિશિષ્ટતા. એક મુનિને જોતાં અને પચાસ મુનિને જોતાં ભાવમાં ફેર પડે કે નહિ ? બધે પૈસા જોતાં જેમ ઘેલા થવાય છે, તેમ ધર્મી પણ જ્યાં જ્યાં ધર્મ દેખે, ધર્મની સામગ્રી દેખે, ત્યાં અધિક ધર્મરસિક થાય. શ્રાવકને ઘેર ઘેર મંદિર હોત, પૌષધશાળા હોત, શાસ્ત્રીય પઠનપાઠનના ગુંજારવ થતા હોત, ભક્તિના ધોધ વહેતા હોત, તો રસ્તે ચાલનારા દરેકને ધર્મની ભાવના થાત, દિ' ઊગ્યે ઉત્તમ ક્રિયા ચાલુ હોય, તો અધમ આત્માના પણ ભાવ ફરે, રોજ મહોત્સવ ચાલુ હોય તો કમનસીબને પણ કોક દિવસ એ જોવાની ભાવના થાય. શ્રી જિનમૂર્તિનું સ્વરૂપ સભાઃ પ્રભુનો અભિષેક શા માટે ?
અભિષેક વખતે બાલ્યવય કલ્પી છે. કેવળજ્ઞાન થયા પહેલાં પણ જન્મતાંની સાથે જ ઇંદ્રોએ આ રીતે જ પ્રભુની ભક્તિ કરી હતી એ ભાવ અભિષેકમાં છે.
પ્રભુની કાયા સુવર્ણ અને રત્નની કાંતિ જેવી હોય છે; એમની આંખની કીકી એવી કે રત્નની જેમ તગતગતી, ઝળકતી હોય. આવી દીપ્તિમાન કાયા અને દીપ્તિમાન ચિહ્નોનો ખ્યાલ આવવા માટે એમની આકૃતિને આપણે વિશિષ્ટ રીતે બનાવીએ છીએ. શ્રી તીર્થંકરદેવના અંગમાં વિશિષ્ટતા છે. એ લોકોત્તર પુરુષ છે. એમની છાતીમાં શ્રીવત્સ હોય એટલે એ ભાગમાં વાળનો ગુચ્છો હોય. એ તારકના મસ્તકે ઉષ્ણીષ હોય કે જે મંદિર ઉપર કળશની જેમ મસ્તક ઉપર એ ઉષ્ણીષ શોભે. બીજાની કાયા એકસો આઠ આંગળ ઊંચી હોય, જ્યારે શ્રી તીર્થંકરદેવોની કાયા એકસો વીસ આંગળ ઊંચી હોય. પ્રભુના અંગની