SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ 189 - ૧૬ : સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય - 16 – ૧૮૯ અને જો એનામાં લુચ્ચાને નસાડવાની શક્તિ ન હોય, તો શાહુકાર સુખે રહી પણ ન શકે. વળી દુનિયામાં બધો પાક સૂર્યને આભારી છે; ગરમી થાય તો જ વરસાદ આવે અને વરસાદ પછી પણ ગરમી ન થાય તો અનાજ કોહવાય. સૂર્ય લૂંટારાને નસાડે નહિ તો શાહુકાર રહે પણ શી રીતે ? એટલે સૂર્યનો પ્રકાશ થાય તો જ વ્યવહાર ચાલે; ઇલેક્ટ્રિક લાઇટ હોય તો પણ એવો વ્યવહાર ન ચાલે, કારણ કે-સૂર્યનો પ્રકાશ તે સૂર્યનો અને લાઇટનો પ્રકાશ તે લાઇટનો જ. જે સૂર્યનો પ્રકાશ ન રહી શકે, એના પ્રકાશમાં પોતાનું ભલું ન જુએ તેનો એ દુશ્મન બને. અર્થાત્ તેઓ એને દુશ્મન જ માને છે. દુનિયામાં કોઈ એવી સારી ચીજ નથી, કે જેને અધમ આત્માઓ દુશ્મન તરીકે ન માનતા હોય, ન્યાયાધીશ કાયદાની બારીકી સાચવીને બરાબર શુદ્ધ દષ્ટિથી કામ કરે, એમાં એક જણ ગુણ ગાય અને બીજો ગાળો પણ દે. પણ સાચા ન્યાયાધીશ એ ન જુએ. એ તો પોતાની ફરજ જ બજાવે. ગુણ ગાનારો ગુણ ગાય છે, ત્યાં ન્યાયાધીશમાં ગુણ છે, કેમ કે-ન્યાય કરે છે; પણ પેલો ગાળ દે છે માટે ન્યાયાધીશમાં દોષ છે એમ ન કહેવાય, કારણ કે-તેણે શુદ્ધ દૃષ્ટિથી, ચોકસાઈપૂર્વક સત્યાસત્યનો વિવેક કર્યો છે. ઉદાસીન ભાવને કેળવો . કે “દુનિયામાં સારી વસ્તુના પણ વિરોધી કેમ છે ? એવું પૂછશો જ નહિ ! કારણ કે દિવસ અને રાત્રી, સાચું ને ખોટું, ઊંધું અને છતું, એ બધું જગતમાં સનાતન છે ! હવે સાચાના દુશ્મન ન હોય એ બને ? દુર્જન ન હોય તો સજ્જન છે એની કિંમત શી ? અને અંધારું ન હોય તો સૂર્યના પ્રકાશની પણ કિંમત - શી? પ્રતિપક્ષી વસ્તુ હોય તો જ વસ્તુની કિંમત. માટે પ્રતિપક્ષી વસ્તુથી મૂંઝાવાનું નહિ. વસ્તુ પોતાના સ્વરૂપને ભૂલે તો જ પ્રતિપક્ષી ન રહે. સૂર્ય જો પોતાનો પ્રકાશ બંધ કરે, તો ઘુવડ કદી આંખો ન મીંચે; પણ એની એકલાની આંખ ખુલ્લી રાખવા આખા જગતની આંખો બંધ રાખવાનું કામ સૂર્ય કેમ કરે ? જેનામાં પ્રશમની પ્રધાનતા હોય, એ શ્રીસંઘ સૂર્યની ઉપમા પામી શકે. ઇંદ્રિયોની વિષયાસક્તિ ઉપર અંકુશ કેળવી કષાયો ઉપર અંકુશ મેળવે એનું નામ પ્રથમ શ્રીસંઘમાં તો અંકુશ હોય જ. ઇંદ્રિયો વહેતી રહે કે આત્મા વિષયકષાયોમાં મહાલતો રહે, એવું જે શ્રીસંઘ ઇચ્છે તે સંઘમાંથી સંઘત્વ જાય. વિષયકષાયના પરિણામે દુર્ગતિ થાય છે એમ જાણવા છતાંયે દુર્ગતિની દરકાર ન કરતાં, પોતાનાં સંતાન વિષય-કષાયની ક્રિયા ભલે કરે એવું ઇચ્છે, ત્યાં સંઘત્વ તો શું પણ માબાપપણું પણ રહેતું નથી. પોતાના સંતાન સન્માર્ગે, અર્થાત્
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy