________________
૧૯૦
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ -
- 160. સંયમમાર્ગે ન જઈ શકે અને એમને સંસારના સંબંધમાં યોજવા પડે (યોજવાં પડે હોં !) તો શ્રાવક-શ્રાવિકા ઉદાસીનભાવે યોજે, એ ઉદાસીનભાવ નાશ પામ્યો માટે પાપ વધ્યું.
ચોવીસ કલાકમાં ધર્મક્રિયા યાદ નથી આવતી, એનું કારણ પાપની પ્રવૃત્તિની વૃદ્ધિ થઈ તે જ છે. જમતી વખતે એમ થાય કે – “પ્રભુ પાસે રોજ અણાહારી પદ માગવા છતાં હજી રોજની આહારગૃદ્ધિ જતી નથી.” જો આવું થાય તો તપોવૃત્તિ આપોઆપ જાગે, લહેજત પણ ઊડી જાય અને રસત્યાગ તથા વિગઈત્યાગ પણ થાય. પણ મંદિરમાં જાય ત્યાં પણ આ યાદ ન આવે, તો ભાણે બેસીને તો શાનું યાદ આવે ? જિનપૂજાનું વિધાન શા માટે?
શાસ્ત્ર જળપૂજા, ચંદનપૂજા, ફુલપૂજા, ધૂપપૂજા, દીપપૂજા, અક્ષતપૂજા, ફળપૂજા, નૈવેદ્યપૂજા, એ અષ્ટપ્રકારી પૂજાનાં વિધાનો શા માટે કર્યા? જળથી કે દૂધથી અભિષેક કાંઈ પ્રભુને નિર્મળ કરવા માટે નથી પણ પોતાની નિર્મળતા માટે છે. પ્રભુ પૂજા માગતા નથી, પણ આ બધાં પૂજાનાં વિધાનોનો હેતુ એ છે કે - આવી પ્રવૃત્તિ કરો તો ચોવીસે કલાક આત્મા જાગતો રહે. જળપૂજા કરતી વખતે આત્મા ચિતવે કે “પ્રભુ નિર્મળ છે અને હું મેલો છું !” એની મેળે એ યાદ નથી આવતું માટે રોજ જળપૂજા છે.
ચંદનનો લેપ પ્રભુની શાંતિ માટે નથી, પણ કર્મથી સંતપ્ત એવા પોતાના આત્માની શાંતિ માટે જ છે. જે સુંદરતા પ્રભુના અંગ ઉપર રચાય છે, તે પોતાના આત્માની સુંદરતા મેળવવા માટે છે.
અક્ષતના સાથિયાનો હેતુ એટલો જ છે કે હજી આ આત્મા એવો અભણ છે કે વાંચેલી વાત પણ નકશા વિના સમજી શકતો નથી. ભૂગોળ ભણેલા વિદ્યાર્થીને પણ નકશાથી જ એ સમજાય છે. પૂજા વિગેરે ધર્મક્રિયા-જલ, ફળ વગેરે વિવિધ પ્રકારોની પૂજાઓ, એ નકશારૂપ છે. ધર્મક્રિયા માત્ર નકશારૂપ છે, “શું ભગવાનના ભલા માટે પૂજા કરીએ છીયે, પૂજા કરીને એમના પર ઉપકાર કરીએ છીએ ? ના, એવું ન માનતા. પણ આત્મકલ્યાણ માટે જ ભગવાનની પૂજા કરવાની છે, એમ માનજો.
ભગવાન ઉપર આભૂષણાદિ ચડાવવાથી ભગવાન પરિગ્રહી બની જતા નથી, પણ એ ક્રિયા પૂજકને નિષ્પરિગ્રહી બનાવવા માટે છે. ભક્તને નિષ્પરિગ્રહી બનાવવા માટે એની સમક્ષ આદર્શ ધર્યો કે - આ શ્રી જિનેશ્વરદેવ