________________
197 – ૧૯ઃ સંઘ સૂર્ય જેવો પ્રતાપી હોય – 16 – – ૧૮૭ - સૂર્યના ઉદય સમયે જેમ ગ્રહોની પ્રભા નાશ પામે છે, તેમ આ શ્રીસંઘરૂપ સૂર્યની હયાતીમાં કપિલ, કણભક્ષ, અક્ષપાદ અને સુગત આદિ અન્ય દર્શનોની પ્રભા સહેજ પણ ટકી શકતી નથી. જેમ સૂર્યની કાંતિ દીપ્તિમતી હોય છે, તેમ શ્રીસંઘરૂ૫ સૂર્યની પણ તપ-તેજરૂપ કાંતિ દીપ્તિમતી હોય છે.
જેમ સૂર્યના પ્રકાશથી સ્થૂલ અને પ્રકટ વસ્તુઓ પ્રકાશિત થાય છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્યના જ્ઞાનરૂપ પ્રકાશથી વસ્તુમાત્ર-પછી તે સ્થૂલ હોય કે સૂક્ષ્મ હોય, પ્રકટ હોય કે અપ્રકટ હોય તે સર્વ પ્રકાશિત થાય છે.
ઉપનામરૂપ સૂર્ય અને શ્રીસંઘરૂપ સૂર્ય, એ બેમાં વિશેષતા એ છે કે ઉપમાન રૂપ સૂર્ય જ્યારે ઉષ્ણતાપ્રધાન છે, ત્યારે શ્રીસંઘ રૂપ સૂર્ય પ્રશમપ્રધાન છે.
આકાશપટ ઉપર ગ્રહો જેમ રાત્રિના સમયે જ તગતગે, તેમ કૃતીર્થિકરૂપ ગ્રહો પણ વિશ્વની સપાટી ઉપર ત્યાં સુધી જ તગતગે, કે જ્યાં સુધી શ્રીસંઘરૂપ સૂર્ય ઉદય ન પામે. એવો એક પણ ગ્રહ આકાશપટ ઉપર ઉદયવંતો નથી, કે જે ગ્રહ સૂર્યના ઉદય પછી ઉદયવંતો રહી શકે. સૂર્યના ઉદય સમયે ગ્રહો નામની જ હયાતી ભોગવી શકે છે. જેમ સૂર્યની કાંતિ અને ઉદ્યોત બીજા બધા જ ગ્રહો કરતાં શ્રેષ્ઠ હોય છે, તેમ શ્રીસંઘરૂપ સૂર્યને પણ તપરૂપ કાંતિ અને જ્ઞાનરૂપ ઉદ્યોત અનુપમ અને અદ્વિતીય હોય છે. દીક્ષા એ અગ્નિકુંડ પણ છે. '
સૂત્રકાર મહર્ષિ જે શ્રીસંઘની સૂર્યરૂપે સ્તવના કરે છે, તે શ્રીસંઘને સૂત્રકાર મહર્ષિ દમ-ઉપશમપ્રધાન તરીકે ઓળખાવે છે. કષાયાધીન આત્મા ઉપશમરસનું પાન કરી શકતો નથી અને ઇંદ્રિયોની આધીનતામાં કષાયો જીવતા અને જાગતા ' જ રહે છે. આથી ઇંદ્રિયોનો નિગ્રહ કરી; કષાયો ઉપર વિજય મેળવી, ઉપશમને પ્રાપ્ત કરવો જોઈએ. ઉપશમથી આત્મામાં સ્થિરતા આવે. જેનામાં ઉપશમ હોય તે વાતવાતમાં વિહ્વળ ન થાય. સુખસાહ્યબીમાં કે આપત્તિમાં એ મૂંઝાય નહિ, ગભરાય નહિ. પ્રશાંત આત્મા કોઈ પણ વાતથી આકુળ-વ્યાકુળ ન થાય. પ્રશમ ગુણ મહત્ત્વનો છે. આત્માનું દમન કરાય તો એ ગુણ આવે. જ્યાં શાસ્ત્રાનુસારી દમનની પ્રધાનતા હોય, ત્યાં ઇંદ્રિયોની ઉદ્દામતા ન હોય !
આજે જગત અસંયમ તરફ ધસી રહ્યું છે, એનું કારણ એ છે કે - આત્મદમન નથી - આત્મદમનની ક્રિયા નથી, અને એટલે જ આજે દીક્ષા જેવી તારક વસ્તુ પણ પામરોને અગ્નિકુંડ જેવી દેખાય છે. આત્મદમન ન ગમે, એમને દીક્ષા એ અગ્નિકુંડ જ લાગે. પણ ગમે તે દૃષ્ટિએ તેવાં રૂપક અપાતાં હોય, તો પણ આપણે તો એને સારી રીતે ઘટાવી શકીએ તેમ છીએ. ઇંદ્રિયોની