SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ : માત્ર પ્રત્યક્ષવાદ ન ચાલે - 15. નહિ, પણ શરત એટલી કે એ વાત શ્રી સંઘને જણાવાય ! શ્રીસંઘ તે છે કે, જે કલ્યાણના માર્ગમાં કાંટા ન વેરે પણ કાંટાને દૂર કરે. કોઈને દીક્ષા દેવાની કે કોઈને તપ નિયમ દેવાની વાત, અમારાથી બધાને ન કહેવાય, બધાને કહેવાય તો તો જુલમ કરે; એ તો ગંભીરતા દેખાય ત્યાં જ કહેવાય. સમ્યગુદર્શન, જ્ઞાન અને ચારિત્રની આરાધનાની વાત એ સાધુઓની ખાનગી વાત છે, કારણ કે આરાધકોની પાછળ જે લૂંટારા ઘણા પડ્યા છે માટે એ ખાનગી રાખવી પડે. શાસ્ત્રની આજ્ઞાથી વિરુદ્ધ વર્તનારાઓ કહે છે કે - “દીક્ષા આપતાં પહેલાં અમને પૂછો. પણ પુછાય કોને ? જેઓ એમ કહેતા આવે કે મહારાજ ! અમારે પોતાને સંયમી થવાની ભાવના છે પણ થવાતું નથી એ પામરતા છે; અમારો પરિવાર પણ ક્યારે નીકળે એ અમારી ભાવના છે; અમે આપને વિનવીએ છીએ કે કોઈ પુણ્યવાન આપની પાસે સંયમ લેવા આવે તો કૃપા કરીને અમને આઠ-દસ દિવસ પહેલાં જણાવો, કે જેથી અમે તે પુણ્યશાળીની સેવા કરી શકીએ અને તે પુણ્યશાળીનો મહોત્સવ કરીએ, કે જેથી સેંકડો જીવોને સંયમનો રાગ થાય.” આટલા માટે જાણવા માગે તેને જરૂર જણાવીએ, પણ આ તો કહે છે કે - “અમને જણાવો એટલે અમે તેની પાછળ પડીએ. આવાઓને સાધુઓ તેવી વાત કેમ જણાવી શકે? જ્યાં સંઘ છે ત્યાં તો વાજતે ગાજતે દીક્ષાઓ અપાય જ છે. બાકી ધર્મક્રિયા વિરુદ્ધ ઠરાવ કરનારમાં તો સંઘત્વ-જૈનત્વ ન જ હોય, એમ કહ્યા સિવાય ચાલે જ નહિ. એવાઓના શરણે જનારાઓ પણ જૈનત્વ ગુમાવી બેસે એમાં લેશમાત્ર પણ શંકા નથી. સાચો સંયમી 'હજારો ગ્રાહકો આવે એથી કાંઈ વેપારી મૂંઝાઈ જઈને પૈસા લેવાનું ભૂલતો નથી, તેમ ઘણા સંસારી આત્માઓને જોઈને સંયમી પોતાનું સંયમ ભૂલે નહિ. સાધુઓનું કામ તો જનતાને આશ્રવથી છોડાવી સંવરની ક્રિયામાં જોડવાનું છે, પણ સંવરની ક્રિયામાંથી છોડાવી આશ્રવની ક્રિયામાં જોડવાનું નથી. આગેકૂચ કે પીછેહઠ જે ક્રિયા આત્મઘાતક છે, એમાં આગળ વધવું એ શાસ્ત્રદૃષ્ટિએ પાછળ હટવા જેવું છે. એક આત્મા બહુ આરંભી, બહુ પરિગ્રહી બને પરિણામે પંચેન્દ્રિયનો ઘાતક બને અને પંચેન્દ્રિયના શરીરના ભોગે પોતાના શરીરનો પોષક બને, એને “બહુ આગળ વધ્યો-બહુ આગળ વધ્યો' એમ સાધુ કહે અને - બીજાઓ પણ એમ જ કહે તો એ આત્મા ક્યાં જાય, એની એવી પીછેહઠ થાય કે એ આત્મા અનંતકાળ સુધી ફરીને આ સ્થાન ન પામે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy