________________
૧૩૮
- સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - - 160 ધુમાડાના ગોટા નીકળતા જ હોય. ખરેખર આવાઓની સાથે તો ઊભા રહેવામાં પણ ધર્માત્માઓને કંટાળો આવે. આ શું માનવપણું છે ? એટલો પુણ્યોદય કે ભગવાન પાસે આવતાં કોગળા કરીને આવવા જેટલી મર્યાદા સાચવે છે.
આ રીતે કોગળા કરીને આવવું પડે છે, એ જ સૂચવે છે કે – ખાનપાનની ચાલુ પ્રવૃત્તિ એ સભ્યતા નથી. તમારી ખાનપાનની ક્રિયા ઓછી થાયે, એમાં અમને દુઃખ ન થાય; પણ તમારી ધર્મક્રિયા ઓછી થાય તો અમને જરૂર દુઃખ થાય. આવાં જ કારણોથી વિવેકી પુરુષો, “આ જમાનામાં ધર્મક્રિયાની જરૂર શી ?” આમ કહેનારને, “આસ્તિકતાના વેષમાં છુપાયેલા ભયંકર નાસ્તિક' તરીકે ઓળખાવે છે. નાસ્તિક કહેવરાવવું નથી અને આસ્તિફ બનવું નથી, એ કેમ ચાલે ?
પશુપણું છોડવું ગમતું નથી અને માણસ કહેવરાવવું છે, એ કેમ નભે ? જૂઠું બોલવું છોડવું નથી અને હરિશ્ચંદ્રનો ઇલ્કાબ લેવો છે, એ કઈ રીતે મળે ?
પંચાચારમાં પ્રવીણ બનવું નથી, જગતને પંચાચાર સાધવાના રસ્તા બતાવવા નથી અને સાધુ કહેવરાવવું છે, તે કઈ રીતે બને?
વતો ધારણ કરવાં નથી, છતાં દેશવિરતિધર કહેવરાવવાની ઇચ્છા કેમ રખાય ?
પાપને પાપ માનવું નથી, કહેવું નથી અને સમ્યગુદૃષ્ટિ કહેવરાવવું છે, એ કેમ બને ?
જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર અને વર્યાચાર - એ પાંચે આચાર પોતે બરાબર પાળે, બીજા પાસે પળાવે અને તેનો જ જગતમાં પ્રચાર કરે, એ આચાર્ય. તેવી જ રીતે બધાય ઇલ્કાબ યોગ્યતા હોય તો જ મળે.
શિક્ષક બનવું અને છોકરાંને ટેબલ પર ચોપાટ ખેલાવવી, એ ચાલે ? છોકરાં નાચે તો નાચવા દે, ખેલે તો ખેલવા દે અને લડે તો લડવા દે, એ માસ્તર કહેવાય ? કહેવું જ પડશે કે નહિ, માસ્તર તો તે કહેવાય છે, જેને જોઈને છોકરાં રમત-ગમત મૂકીને વિનયપૂર્વક ભણવા લાગી જાય. જીવતાં જાનવરોની કતલ સામે વિરોધ :
સભા: આજ તો રમતના પણ શિક્ષક હોય છે.
પણ એ વાત જુદી થઈ. જમાનાના નામે રમતને પણ સુશિક્ષણ કોટિમાં મૂક્યું, એટલે પછી એનો શિક્ષક પણ જોઈએ ને ? હિંસાના શિક્ષણની પણ