________________
૧૬૯.
-
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
-
શ્રી કુમારપાળ મહારાજા પોતાના અત્યાર સુધીના ભ્રમણને વ્યર્થ માને છે અને યાત્રા માટે થતા ભ્રમણને સાર્થક માની, તેને ભવભ્રમણના નાશક તરીકે સ્વીકારે છે. | આજ ભાવનાના સુયોગે અઢાર દેશના માલિક મહારાજા શ્રી કુમારપાળ પગે ચાલીને શ્રી સિદ્ધગિરિજી આદિ તીર્થોની યાત્રા અતિશય ભક્તિપૂર્વક કરી, અને શ્રી સિદ્ધગિરિજી ઉપર જઈને પ્રથમ તીર્થપતિ શ્રી ઋષભદેવ સ્વામીજીની પૂજા, અર્ચા, આરતી વિગેરે કર્યા પછી, સ્તુતિ કરતાં કહ્યું કે :
“હે સ્વામિન ! મારા દિવસો તારી સેવાથી રહિત ચાલ્યા ગયા, તે મને હાથમાંથી પડી ગયેલા સુવર્ણની જેમ અતિશય પીડા કરે છે.”
ખરેખર, વિષથી પીડાતો માનવી જેમ અમૃતને પામીને ખુશ થાય અને રોગથી પીડાતો માનવી જેમ ઔષધને પામીને ખુશ થાય, તેમ સંસારથી પીડાતો હું તને પામીને ખુશ થયો છું.”
હે નાથ ! તારા દર્શનથી પરાક્ષુખ રહીને હું મોટો સાર્વભૌમ રાજા થવાનું પણ નથી ઇચ્છતો, પરંતુ તારા ચૈત્ય ઉપર તારા દર્શનમાં તત્પર એવો પક્ષી થવાનું તો હું જરૂર ઇચ્છું છું.”
ઉપરની ઉત્તમ ભાવના અને યાચનાથી સ્પષ્ટ થાય છે કે :
“શ્રી જિનમંદિર, તીર્થયાત્રા, ઉપાશ્રય, એ બધાનો હેતુ એ છે કે ઘરબાર, કુટુંબ પરિવાર, ઋદ્ધિસિદ્ધિથી અલગ થઈ ત્યાગનો સ્વીકાર કરવો.”
આ શાસનમાં રહેલા કોઈનાથી ધર્મક્રિયાને ગૌણ બનાવી દુન્યવી ક્રિયાને વધારવાનું ન જ કહેવાય. એવું કહેનારા આસ્તિકના નામે ટકી શકે જ નહિ. ખુલ્લે ખુલ્લી રીતે પરલોકને સુધારનારી ધર્મક્રિયાઓ તરફ અણગમો જાહેર કરનારાઓને નાસ્તિક તરીકે જાહેર કરી દેવા જોઈએ. સાચા ઉપકારીઓએ, ભદ્રિક જનતાના શ્રેય માટે એવાઓને ઉઘાડા પાડવામાં જરા પણ અચકાવું ન જોઈએ, કારણ કે-એવાઓ સમાજમાં આસ્તિકને નામે ફરે છે અને ધર્મસમાજના ધર્મધનની ધોળા દિવસે આસ્તિકના વેષમાં રહીને કારમી લૂંટ
૧. “સ્વામિન્ ! રે ચાલ્ટન્ વસ્ત્રા-સ્વદુપસ્તિવિનાવૃતા: I
सत्रपाकुर्वते ते मां, करच्युतसुवर्णवत् ।।१।। ૨. વિષાર્જ વ પીયૂષ, જલા વ્ર રોષણમ્
__भवार्त्त स्त्वामहं प्राप्य, प्रीतिं प्राप्तोऽस्मि संप्रति ।।२।। 3. सार्वभौमोऽपि मा भूवं, त्वदर्शनपराङ्मुखः ।
त्वदर्शनपरः स्यां तु, त्वच्चैत्ये विहगोऽप्यहम् ।।३।।"