SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ‘સાહેબજી આ ઉંમરે પણ આવા જોમથી પ્રવચનો આપે છે તો જ્યારે તેઓશ્રીનો યુવાકાળ હતો ત્યારના તેઓશ્રીનાં પ્રવચનો કેવા ધારદાર હશે ! “એ જોવાં હોય તો વાંચો જૈન પ્રવચનની ફાઈલોમાં” બીજા મહાત્મા બોલ્યા. ત્યાં અણધારી અમૃતવૃષ્ટિ થઈ. ખુદ પૂજ્યશ્રી પ્રકાશ્યા. “અરે ભાઈ, તે વખતે વ્યાખ્યાન લખનારા શરૂઆતનું જ લખતા હતા. વ્યાખ્યાન જ્યારે પૂરી ગતિમાં આવતું તે તો કશું જ લખાયું નથી.” “પણ પૂજ્યશ્રી, શા માટે ?” “મેં પણ તેમને કહેલું કે, ખરું લખવાનું આવે ત્યારે જ તમે કેમ લખતા અટકી જાઓ છો ત્યારે એ ભાઈ કૃહેતા કે સાહેબ, શું કરું ? એ વ્યાખ્યાન સાંભળતા મારી કલમ અટકી જતી. સાંભળવાનો રસ હું ગુમાવી શકતો નહિ. મારા હાથ આપમેળે અટકી જતા અને કાન એકતાન બની જતા ત્યારે સઘળું મારા વશમાં હોતું નથી.” પૂજ્યશ્રીએ જવાબ આપ્યો. fro તો વાત આમ છે. આપણને આ પ્રવચનોમાં જે મળ્યું છે તે તો હિમશિલાનો અગ્રભાગ . છે. બાકી જે બોલાયું છે, અતિ મહત્ત્વનું છે તે તો તે પ્રવચનના સાંભળનારા ભાગ્યવાન શ્રોતાઓના નસીબમાં જ રહ્યું. કાશ ? જો એ પણ અવતરિત થઈ ગયું હોત તો છલોછલ ભરેલો અમૃતનો કુંભ મળ્યા જેવો આનંદ થાત. આ પ્રવચનો વાંચતાંય અહોભાવની અનુભૂતિ તમને થતી હોય તો વિચારો કે પ્રવચનમાં વહી ગયેલું પણ કાગળ ઉપર નહિ અવતરેલું તો કેવું અને કેટલું ભવ્ય હશે ? આપણે તો અત્યારે જે મળ્યું છે તેનો આનંદ માણીએ. ગયેલાનો અફસોસ ન કરીએ. ન vy સૌ કોઈ આત્મા આ પ્રવચનો દ્વારા સંઘનું સ્વરૂપ જાણે અને એવા ગુણોને પોતાના આત્મામાં કેળવી પરમાત્માએ સ્થાપેલા ગુણ સ્વરૂપ સંઘમાં પોતાના આત્માને સ્થાપિત કરી સિદ્ધિગતિને વરે એ જ એક શુભકામના. વિ.સં. ૨૦૬૨ ભાદરવા સુદ ૧૧, સોમવાર, તા. ૪-૯-૨૦૦૬ રત્નત્રયી આરાધના ભવન, વસંતકુંજ, પાલડી, અમદાવાદ-૭. ....પંન્યાસ જયદર્શનવિજય ગણી ૧૩
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy