SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ 49 – ૧૩: આજ્ઞાનો આરાધક સંઘ - 13 – ૧૪૯ સહવાની શક્તિ મેળવવી જોઈએ અને કેળવવી જોઈએ. સૂર્યના તાપથી ગભરાવું ન પાલવે. એ કમળ તો સૂર્યનાં કિરણથી જ વિકાસ પામે. • શ્રી જિનેશ્વર ભગવાનરૂપી સૂર્યનું તેજ, તે એમની આજ્ઞા ! “આ આજ્ઞા ન પાલવે, આનાથી વિસ્તાર ન થાય, વાતવાતમાં પાપ પાપ કહેવું એ આ જમાનામાં ન ચાલે' - આવું બોલનારા, શ્રીસંઘરૂપી કમળનો લાભ લઈ શકે તેમ નથી. શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યનું તેજ હણાયા પછી, એટલે કે-શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા હણીને જીવવા ઇચ્છનારા, શ્રી સંઘરૂપ કમળના સેવક નથી, સૂર્યાસ્ત પછી ઘૂમનાર ઘુવડો, ચામાચીડિયાં વગેરેની મોટી વાત છે, તેમ મનુષ્યોમાં પણ ચોર, વ્યભિચારી વગેરે નિશાચરો હોય છે, પણ એવાઓની હયાતી તો જગતને ત્રાસરૂપ હોય છે, એ વાતથી કોઈ પણ અજાણ નથી જ ! તેમ જેઓને શાસ્ત્રની આજ્ઞા ન ગમે, તેઓ શાસનમાં નિશાચરો જેવા છે. તેવાઓથી આજ્ઞારસિકોએ બચવું જ જોઈએ. યુગપ્રધાન શ્રી દુષ્પસહસૂરિજીના સ્વર્ગવાસ પછી પ્રભુના શાસનનો આ ભરત ક્ષેત્રમાં ઉચ્છેદ થશે, કેમ કે, તે પછી આ ભરતક્ષેત્રમાં પ્રભુની આજ્ઞા રહેવાની નથી. માણસો તો પછી પણ રહેશે, તે છતાં તે માણસો સંઘમાં ગણી શકાશે નહિ, કારણ કે તે સમયે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા હોવાની નથી. તેવી જ રીતે તેઓ જ્યારે આજ્ઞાથી બહાર વર્તવા ઇચ્છે છે, જેઓને આજે આજ્ઞા રૂચતી નથી અને જેઓ આજે આજ્ઞા વિરુદ્ધની કાર્યવાહીઓથી પણ ઉદય કે ઉન્નતિ ઇચ્છે છે, તેઓ જૈન જાતિમાં જન્મેલા હોવા છતાં પણ શ્રી જિનેશ્વરદેવે સ્થાપેલા સંઘમાં ગણી શકાતા નથી. આજ્ઞા માનવી નહિ, - આગમને અનુસરવું નહિ, લોકપ્રવાહમાં તણાઈ જઈ યથેચ્છ વર્તવું અને સંઘમાં ગણાવું - એ કોઈ પણ રીતે બની શકે તેવું નથી. જેની આજ્ઞા માનવી નહિ તેના અનુયાયી હોવાનો દાવો કરવો એ પ્રામાણિકતા નથી, પણ ચોખ્ખી દાંભિકતા છે. જેનામાં આજ્ઞા નહિ, તેનામાં શાસન જ શાનું? આજ્ઞા વિના શાસન હોઈ શકતું નથી. શાસનના રસિકોએ આજ્ઞાને અખંડિત રાખવાના સુપ્રયત્નો કરવા જ જોઈએ. શ્રીસંઘરૂપ કમળ તો શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાના ઉદયમાં જ ખીલવું જોઈએ. જ્યારે જ્યારે આજ્ઞાનો અસ્ત દેખાય, ત્યારે ત્યારે શ્રી સંઘ દુઃખી થાય અને “કમળને વિકસાવનાર શ્રી જિનરૂપ સૂર્ય ક્યારે ઉદય પામે' - એવું હૃદયથી 'ઇચ્છ. “આજ્ઞાના નાશને જોવા કરતાં તો ન જીવવું વધારે સારું.” આ ભાવનાવાળો શ્રીસંઘ હોય. કેવળ માનપાન, ખ્યાતિ, પૂજા, પ્રતિષ્ઠા કે પ્રસિદ્ધિ
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy