SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ : આજ્ઞાનો આરાધક સંઘ વીર સં. ૨૪૫૬, વિ. સં. ૧૯૮૬, માગસર વદ-૧૨, શુક્રવાર, તા. ૨૭-૧૨-૧૯૨૯ ♦ આજ્ઞા વિના શાસન શાનું ? ૭ આજના કહેવાતા ભણેલાઓ જ આજ્ઞાનો વિરોધ કરે છે : ♦ વિરોધ કરનાર વ્યક્તિ નહિ, પણ વ્યવસ્થિત ટોળું છે : ♦ વિરોધીઓની જાળ : • કાળજી રાખવાની જરૂર : ♦ શ્રી સંઘની ચંદ્રની રૂપકથી સ્તવના : ♦ ધર્મ માટે કરાતા ધનવ્યયને ધુમાડો કોણ કહે ? ૭ એક જ ભાવના : 13 આજ્ઞા વિના શાસન શાનું ? સૂત્રકાર મહર્ષિ શ્રી દેવવાચક ક્ષમાશ્રમણજી શ્રી તીર્થંક૨દેવ પછી શ્રીસંઘને પૂજ્ય માની, શ્રીસંઘના સ્વરૂપને બતાવતી ગાથાઓ દ્વારા શ્રી સંઘની સ્તુતિ કરે છે. એક ગાથાથી નગરરૂપે, એક ગાથાથી રથરૂપે અને બે ગાથાથી કમળરૂપે શ્રીસંઘની સ્તવના સૂત્રકાર મહર્ષિએ કરી. કમળની ઉપમામાં મુખ્ય તરીકે ગણના સૂરિવરની થઈ; તે શ્રુતરૂપ નાળને વળગી જ રહે. તેનાથી લેશ પણ દૂર ન થાય. તે પાંચમહાવ્રતરૂપ કર્ણિકાને ખરવા ન દે. ઉત્તરગુણરૂપ કેસરાને અખંડ સાચવી રાખે. હજારો સાધુઓરૂપી પત્રોથી એ કમળ વીંટાયેલું હોય. ને ‘સમ્યક્ત્વ તથા અણુવ્રતોને ધરનારા હોવા છતાં પણ, જેઓ સાધુઓ પાસેથી નિરંતર સામાચારીને સાંભળે’-તે શ્રાવકો રૂપી મધુકરો, એ કમળની આસપાસ ફરતા જ હોય. શ્રાવકરૂપી મધુકરો, એ કમળની આસપાસ ફરતા જ હોય. શ્રાવકરૂપી ભમરાઓ શ્રીસંઘરૂપ કમળની આસપાસ સામાચારીનું જ્ઞાન મેળવવા ઘૂમે, પણ કાંઈક બીજું જ, એટલે કે-અનુપાદેય લેવા માટે ન ઘૂમે. શ્રીસંઘરૂપ કમળ શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યના તેજથી જ વિકાસ પામે. એ કમળનો દુનિયાના પદાર્થોથી વિકાસ નથી. જગતના અંધકારનો નાશ કરનાર સૂર્ય ઊગે, એનાં કિરણો બહાર આવે, ત્યારે જ કમળ વિકસિત થાય. સૂર્યાસ્ત થાય ત્યારે તો એ કમળ બિડાય. કમળની સુગંધ લેનારાઓએ, સૂર્યનો તાપ
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy