SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ 141 ૧૨ : સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12 ૧૪૧ આ તે સુધારો કે સત્ય વસ્તુનો નાશ ? સુધારો તે કહેવાય, કે જે બગાડને સુધારે પણ મૂળને કાપે તે સુધા૨ો નથી. આજે તો સુધારાના નામે સાચી વસ્તુના નાશનો પ્રયત્ન થાય છે. એક વિષયાધીન આજ એમ કહેતાં અચકાતો નથી કે-‘અમે તો એક અથવા બે પરણીએ છીએ, પણ અમારા પૂર્વજો હજારોને પરણ્યા હતા.' એવું કહેનારને એ યાદ નથી કે-‘હજારોને ક્ષણમાં છોડી પણ દીધી : હજારોની વચ્ચે પણ એમણે પોતાની માલિકી ન ગુમાવી ! જ્યારે આજના તો સ્ત્રી માટે માબાપ ગુમાવે છે,સ્ત્રી માટે માબાપને તથા દેવ, ગુરુ, ધર્મને ધક્કો મારે છે, એટલે એકની સામે નહિ ટકી શકનારા હજારો પરણનારનો દાખલો લે, એ તે જીવે કે મરે ?’ મોટાના પગમાં પગ ન નાખો. મહાપુરુષની વાત કરતાં તમારી લાયકાત તથા શક્તિ જુઓ. ભગવાન શ્રી મહાવીરદેવે માતાપિતા જીવે ત્યાં સુધી સંયમ ન લેવાનો અભિગ્રહ કર્યો, એટલું જ યાદ રાખનારને અજ્ઞાન કહેવા, મોહાંધ કહેવા, કે કેવા કહેવા ? ભગવાનમાં જ્ઞાન કેટલું હતું, એ તો યાદ જ નથી કરતા. ‘પોતાનું આયુષ્ય કેટલું, માતાપિતાનું આયુષ્ય કેટલું, પોતાનો દીક્ષાકાળ ક્યારે, નિર્વાણ ક્યારે, એ બધું ભગવાન તો જાણે છે અને આજના તેઓને તો પોતે પહેલાં જવાના કે માબાપ, એની પણ ખાતરી નથી. એમની પાસે જે સાહ્યબી હતી, ‘તેમાંનું કાંઈ નથી છતાં શાંતિથી જીવી નથી શકતા, તો તે હોય તો કેમ જ જીવી .શકે ? બધા એક જ બૂમ મારે છે કે-‘શાંતિ નથી !” જેને સુખે જીવતાં ન આવડે, જિનમંદિરમાં પા કલાક શાંતિથી ઊભું રહેવું ન ગમે, જેના જીવનમાં વિષયવિલાસ, રંગરાગ અને વિકાર જ દેખાય, એ સુખે કઈ રીતે જીવે ? આજના કેટલાક ભણેલા-ગણેલાને ચોવીસે કલાક વિધવા-વિવાહની વાત યાદ કેમ આવે છે ? એ વિના એમને એક પણ આદર્શ આજ નથી જડતો ? અનાચારથી બચાવી વિધવાઓને સદાચારમાં સ્થાપવાની એક પણ યોજના તેઓએ ઘડી ? ભાંગેલાને ભાંગવામાં મુશીબત શી ? ભાંગતી ઇમારતને ચૂના સિમેંટથી મજબૂત કરાય કે તોડાય ? કયા આદર્શથી સમાજ સુખી થાય, એ કદી વિચાર્યું છે ? ભણ્યા શું ? નાતરિયા વર્ણમાં બહુ સુખ છે ? જ્યાં ઉત્તમ મર્યાદા નાશ પામે છે, ત્યાં અધમતા વધે છે. વધારે દુઃખ તો એ થાય છે કે - જેન સમાજના પૈસે ભણેલાઓ આજે સમાજને આડે રસ્તે દોરે છે. ભણાવનારે તો એમ ધારીને હજારો રૂપિયા આપેલા કે-એ ભણેલાઓ પોતાની જાતનું તથા ધર્મનું, સમાજનું અને ભગવાન શ્રી મહાવીરદેવના શાસનનું પોતાની આવડત
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy