SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૦ – સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧ - 140. હોય, તો એને બચાવવાની શ્રાવકસંઘની ફરજ છે, છતાં ન માને અને આડો ચાલે તો શિક્ષા કરવાની પણ ફરજ છે, છતાં ન માને તો ઓઘો પડાવી લઈને રવાના કરવાની પણ ફરજ છે. આજના વિરોધીઓથી એ તો બનતું નથી; એવાઓના તો એ ચેલા થાય છે. આ તો કહે છે કે, “વિરાગ થાય તેને સાધુ થવા ન દઈએ.” નિવેષમાં રહીને શાસનનું સત્યાનાશ વાળે છે, ધર્મને કલંકિત કરે છે, તેની સામે તો થતા નથી. પોતાના વિચારને અનુસરનારા એવાઓને તો એ પંચમકાળના કલ્પતરુ માને છે. સાધુ કે આચાર્ય, જે આજે સામે ઊભા છે, તે સંઘ સામે કે સંઘની સારી કાર્યવાહી સામે નથી ઊભા, તથા સંઘનો ઠરાવ ન જ માનવો એવો પણ આગ્રહ નથી, પરંતુ શાસ્ત્રથી વિપરીત પ્રવૃત્તિની સામે ઊભા છે. શાસ્ત્રાનુસારી પ્રવૃત્તિને તો અનુમોદન જ હોય. શ્રાવકસંઘની ઘણી ધર્મક્રિયા એવી છે કે જે કરવાનો અમને અધિકાર નથી, પણ એને અનુમોદવાનો, એની પ્રશંસા કરવાનો, એમાં તમામને જોડવાનો અને એને અનુમોદન આપવા તમામને કહેવાનો અમને અધિકાર છે. મનઃકલ્પિત ઠરાવ કરવામાં આવે તો ત્યાં સામે થવું જ પડે. કોઈ પતું બગડેલું લાગે તો શ્રાવકની ફરજ છે કે-એને સુધારી લે. પણ આવડે તો ને? સુધરે તો કોઈને ખબર પણ ન પડે તે રીતે ચૂંટી કાઢે અને ત્યાં નવું પતું સ્થાન પણ લે. શ્રાવકસંઘ સૂરિકમળને આવીને બગાડ થયાનું કહી શકે છે. એ કહેવાની છૂટ છે. બાકી આચાર્યાદિ મુનિગણ પાસે આવા મનાવવાના કોડ કરવા એ તો ભયંકર પાપ છે. “સાધુ કરતાં પણ શ્રાવક સંઘ મોટો છે એમ કહેનારા તદન અજ્ઞાન છે ! “સાધુ કરતાં શ્રાવકસંઘ મોટો છે એમ માનનારાઓ પોતે પાટે બેસીને પોતાના શ્રાવકોને નીચે બેસાડે છે, કે પોતે નીચે બેસી પોતાના શ્રાવકોને પાટે બેસાડે છે ? નમસ્કાર પોતે કરે છે, કે શ્રાવકોની પાસે કરાવે છે ? હજારો શ્રાવકનો સમુદાય પણ એક સાધુને કેમ નમે છે? એથી સિદ્ધ થાય છે કે-હજારો શ્રાવકોનો એકત્રિત સમુદાય પણ-એક દિવસના જ નહિ પણ તરતના દીક્ષિત સાધુને પણ - ઇચ્છામિ ખમાસમણ પૂર્વક વાંદે, એ વિધિ છે. સાધુની આ સત્તા સ્થાપિત છે. આવો મજેનો કાયદો હણી, શ્રાવકપણે ભૂલી, પોતાની સાચી સ્થિતિ ચૂકી અને મનઃકલ્પિત રીતે સંસારની ક્રિયા વધારનારા ઠરાવો કરવા અને મોહની કાર્યવાહી વધારવી, એ તો રહ્યાસહ્યા શ્રાવકપણાનું પણ લિલામ છે.
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy