SearchBrowseAboutContactDonate
Page Preview
Page 160
Loading...
Download File
Download File
Page Text
________________ 139 - - ૧૨: સંખ્યાબળના નામે શંભુમેળો ન ખપે - 12 - ૧૩૯ પાંચમહાવ્રતોમાં સ્થિરતારૂપ કર્ણિકા એ કમળમાં હોય અને ઉત્તરગુણરૂપ એમાં કેસરા હોય. મૂળ ગુણની રક્ષા ઉત્તરગુણમાં છે, સૂરિકમળને ફરતાં શ્રમણગુણરૂપી હજારો પત્ર છે. શ્રી જિનેશ્વરદેવરૂપી સૂર્યના તેજથી એ કમળ ખીલે. વર્તમાનમાં “જિનતેજ' તે જિનાગમ. એમનું કેવળજ્ઞાન રૂપ તેજ છબસ્થને કામ નથી લાગતું. એ જ્ઞાન એમને પોતાને ઉપયોગી છે. શ્રી જિનેશ્વરદેવ બોલ્યા ન હોત, ૩૫ને વા, વિકાનેરૂ વા શુ વા, એ ત્રિપદી ગણધરોને આપી ન હોત, ગણધર ભગવાને દ્વાદશાંગી રચી ન હોત, તો આપણે અત્યારે જૈન તરીકે શી રીતે જીવત ? ગણધર ભગવાનને પણ કેવળજ્ઞાની મળ્યા તોય પૂછવું પડ્યું કે- “મવન્! વુિં તત્ત્વ ?' ત્યારે શ્રુતના બળે ભગવાનનું કેવળજ્ઞાન ઉપયોગી થયું. વર્તમાનમાં પણ જ્ઞાની બોલે તો સમજાય, પણ મૌન રહે તો ન જ સમજાયને ? એ જ રીતે વર્તમાનમાં પણ જિનવાણી એ જ આધાર; તેનાથી જ શ્રીસંઘરૂપ કમળ પ્રફુલ્લિત રહે. સાધુઓનો વિરોધ શાસ્ત્રવિરુદ્ધ પ્રવૃત્તિ સામે છે? આવા શ્રીસંઘરૂપ કમળની આસપાસ શ્રાવકરૂપી મધુકરો ફરતા જ હોય. તમારું સ્થાન તપાસો. તમે તો ભ્રમરના સ્થાને. ભમરો પણ લીંબડે ન જાય, એ તો કમળ હોય ત્યાં જ રહે. ભમરો રસ લે, સૂંઘે, પણ કમળને પીડા ન કરે. પત્તાનો, કર્ણિકાનો, કેસરાનો, નાળનો નાશ ન થાય, કમળને નુકસાન ન થાય એની ભમરા કાળજી રાખે. એમાંથી લેવાય તે તમારું, બીજી કરણીમાં ઊભા રહો, પ્રમાદ કરો, બહારની ક્રિયામાં રોકાઓ, તો એટલું તમે ગુમાવો છો. પાંખડી બહારથી લાવવાનું કામ તમારું નથી. કર્ણિકા, કેસરા, પત્તાં એ કમળ પોતે જ પેદા કરે. એની મુખત્યારી એને જ ! મોતીની પરોવણી એનો જ કારીગર કરે. એક મોતીની સેરમાં બધાં મોતી સરખાં ન હોય – પણ પરોવનાર કારીગર એવી રીતે પરોવે કે-હલકાં તથા ભારે મૂલ્યનાં બધાં મોતી એક સુંદર માળા રૂપે દેખાય. એ જ રીતે સાધુ અલ્પ શક્તિવાળો, અધિક શક્તિવાળો, તીવ્ર વિરાગી, મંદ વિરાગી, દુઃખગર્ભિત, મોહગર્ભિત કે જ્ઞાનગર્ભિત વૈરાગ્યવાળો છે, તે સઘળું એ આચાર્ય જુએ, પરખે, પરંતુ એ તેને પરખવા તમને ન સોંપે. અને એ વિવિધ અવસ્થામાં રહેલ શ્રમણોને એવી રીતે વિવિધ યોગોમાં યોજે કે એને જોનારા સજ્જનોનું એ મન હરી લે. જે ઠરાવોની સામે આજે આચાર્ય તથા સાધુ ઊભા છે, એનું કારણ એ છે કે-તે ઠરાવો તે કરનારની સત્તા બહારની વાત છે. સાધુ જો માર્ગથી પતિત થતો
SR No.005852
Book TitleSangh Swarup Darshan Part 01
Original Sutra AuthorN/A
AuthorKirtiyashsuri
PublisherSanmarg Prakashan
Publication Year2004
Total Pages598
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy