________________
સંઘ સ્વરૂપ દર્શન ભાગ-૧
પાણીમાં ગયું એટલે તદ્દન નકામું. કર્મથી અને ભોગથી અલગ હોય તે સંઘ. એમાં બારી છે કે-અલગ હોવા ઇચ્છે એ પણ સંઘ, પણ એ કહેવાની અહીં જરૂર નથી, કેમકે-કમળની ઘટનામાં ચારે પ્રકારના સંઘનો સમાવેશ સ્પષ્ટપણે કરેલો છે. કાદવ અને પાણીથી ઉપર રહે એ કમળ. બળાત્કારે પણ નીકળે અને સહેજે પણ નીકળે. પરિણામની તીવ્રતાથી પણ નીકળે અને પ્રેરણાથી પણ નીકળે. કમળ ઉપર આવ્યા પછી ટકે ક્યાં સુધી ? નાળ અખંડિત હોય ત્યાં સુધી ! નાળમાં સડો પેઠો તો કમળનો વિનાશ થાય. સંઘરૂપ કમળને કર્મરૂપ કાદવ તથા ભોગરૂપ જળથી અલગ રાખનાર શ્રુતજ્ઞાન રૂપ નાળ છે. એની કિંમત ન આંકવી, નવા સ્વકપોલકલ્પિત નાળને બનાવવાની ભાવના ક૨વી અને સંઘરૂપ કમળ બનવું એ ન બનાય.
૧૩૮
138
શ્રુત વિના શાસન હોય જ નહિ. ‘ભગવાન શ્રી જિનેશ્વરદેવનાં આગમો મોજૂદ નથી’ - એમ કહેનારને તો આ શાસન શ્રી જિનેશ્વરદેવનું નથી એમ કહેવું પડે. ભગવાનનાં કહેલાં આગમ નથી – ધર્મ નથી; તો આ ધર્મ છે કોનો ? તો તો પછી કહેવું જ પડશે કે -શાસન ભગવાનની સાથે જ ગયું. આગમને આઘાં મૂકનારને તો શ્રી જિનેશ્વરદેવ થયા હતા, એની પણ શી ખાતરી ? ભગવાન શ્રી મહાવીરદેવ, ત્રિશલાદેવી તથા સિદ્ધાર્થ મહારાજાના પુત્ર હતા; એની પણ શી ખાતરી ? એમનાં દાન, શીલ, તપ, ભાવ વિગેરે આવું હતું, એમણે ઉપસર્ગમાં આવી સ્થિરતા રાખી, ઉત્કટ તપ કર્યો અને કેવળજ્ઞાન મેળવ્યું - એની પણ શી ખાતરી ? આ બધું કહ્યું કોણે ? દુનિયાના ઇતિહાસમાં તો આવું બધું નથી આવતું. આ બધું માનો છો ? તો જેના આધારે એ બધું માનો તેને પણ માનવું જ પડે, અને તે જ આગમ.
પ્રભુના શાસનમાં કમળ તરીકે રહેનાર આચાર્ય મહારાજે શ્રૂતરત્નરૂપ નાળને અખંડિતરૂપે માનવી જોઈએ અને અખંડિત રાખવી જોઈએ. એમની એ ફરજ છે કે-એના ઉ૫૨ આવતા આક્રમણને દૂર કરે. શાસન ઉપર થતા આક્ષેપવિક્ષેપને યુક્તિથી દૂર કરી એને સુંદર રાખવાની કાળજી રાખે. સુંદર વસ્તુ ઉપર આક્રમણ તો આવે પણ આવતા આક્રમણને દૂર કરનારા આચાર્યવર્ષો જ પ્રભાવક તરીકેની પ્રસિદ્ધિને પામ્યા છે. કીમતી વસ્તુ સામે આક્રમણ તો આવે, પણ એને સર્વશક્તિથી હઠાવે એનું નામ પ્રભાવકતા. સત્ય વસ્તુ ઉપરનું આક્રમણ ખસેડી-તેને દેદીપ્યમાન રાખે એ પ્રભાવક.
શ્રુતજ્ઞાનરૂપ નાળ અખંડ હોય, તો જ શ્રીસંઘ રૂપ કમળ જીવી શકે.